SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રના સ્વામી! અમારાં હદયકમળો આપની સાક્ષાત ચંદ્રોપમ કાંતિ નિહાળી જ્યારે વિકસ્વર થશે ? તીર્થકર ભગવાનના અનેક અતિશયો પૈકી કયા અતિશયનું સૂચન આ સાતમા સ્વમમાં થાય છે, તે સંબંધી કવિરાજ કહે છે કેસાતમે સ્વમે સુરજમંડળ, સહસ્ત્ર કિરણથી દીપેજી, તીમ ભામંડળને તેજ કિરણથી, નિજ અરિને તે તેજી; સુણો ભવિ પ્રાણીજી રે. (૭) oY8 દૂ ર્થ–સૂર્યમંડળનાં તેજસ્વી કિરણે જેવી રીતે જગશું તને પ્રકાશિત કરે છે અને અંધકાર, તિમિર તથા ( નિશાચરોનો નાશ કરે છે, તેવી રીતે તમારો પુત્ર છે પણ પોતાના ભામંડળના પ્રકાશ વડે પ્રકાશશે, જગ જ તને પણ પ્રકાશિત કરશે અને ઉજજ્વળતાનું સામ્રાજ્ય ફેલાવશે. નિશાકાળે તિમિરપ્રિય પ્રાણીઓ અંધકારનો લાભ લઈ અનેક જીવોને હેરાન કરે છે, પણ સૂર્યને પ્રકાશ થતાંની સાથે જ તેઓ એકાંત ખૂણામાં ભરાઈ પેસે છે. તીર્થકર મહારાજના પ્રતાપે સંસારમાંથી મિથ્યાત્વરૂપી અંધકાર પલાઈ જાય છે અને સમ્યકત્વનો સૂર્ય સોળે કળાથી પ્રકાશવા લાગે છે. આ વખતે, પછી મિથ્યાત્વીઓનું તથા સંસારાટવીમાં હેરાન અને પાયમાલ કરનારા દુશ્મનોનું બળ ચાલી શકતું નથી. ઇંદ્ર મહારાજ કહે છે કે તમારા આ ભાવી પુત્રના મુખ ઉપર ભામંડળની દીપ્તિ એટલા બધા બળથી જાજવલ્યમાન રહેશે કે તે ભામંડળના પ્રચંડ પ્રતાપ આગળ કોઈ અરિનું–બાહ્ય કે અંતરંગ અરિનું બળ નભી શકશે નહીં. મામંડસ્ટંટુંદુમિરાતપત્રમ્ વિગેરે જે અતિશયોનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, તેવા અતિશયોવાળે આપનો પુત્ર થશે. એમ આ સૂર્યનું www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034797
Book TitleChaud Swapnanu Rahasya
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1915
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy