SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન 5. વિરત કહેવાય છે. ૪. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મા અસંદિગ્ધપણે સત્ય દર્શન, સમ્યગ્દર્શન, તવરુચિ પ્રાપ્ત કરે તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન. અહીંયાં આત્મા પહેલ વહેલેજ આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. દષ્ટિ સ્વરૂપાભિમુખ બને છે. અહીંયાં દર્શન હ તથા અનંતાનુબંધી કષાયોને વેગ નથી રહેતો પરંતુ ચારિત્ર શક્તિને રોકનાર સંસ્કારોને વેગ અવશ્ય રહે છે તેથી વિરતિ (ત્યાગવૃત્તિ) ઉદય પામતી નથી. આ ગુણસ્થાને આત્મા છવાદિ પદાર્થ જાણે વ્રત, પરચખાણ, તપ વગેરે જાણે પ્રરૂપે પણ પૂર્વકર્મના ઉદયે પિતે ફરસી (સ્પર્શી ) શકે નહિ. પ. દેશવિરતિ સમ્યગ્દષ્ટિ અહીયાં અલ્પાંશે વિરતિ (ત્યાગવૃત્તિ) ઉત્પન્ન થાય છે, તેથી દેશ વિરતિ કહેવાય છે. અહીં આવેલ છવ તપ, વ્રત, પચ્ચખાણ જાણે, સહે, પ્રરૂપે યથાશક્તિ સ્પશે, એક પચ્ચખાણુથી માંડી બાર વ્રત, શ્રાવકની અગીઆર પ્રતિમા (પડિમા) સુધીમાંનું જેટલું યથાશકિત પાળી શકે તેટલું આદરે. આ ગુણસ્થાન વતી શ્રાવક અ૫ ઈચછાવાળો, અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, સુશીલ, સુવતી, ધર્મિષ્ટ, ઉદાસી, વૈરાગ્યવંત હેય. ૬, પ્રમત્ત સંયત વિકાસગામી આત્મા ચારિત્ર મેહને વધારે શિથિલ કરી વૈરાગ્યમાં દઢ થતાં સર્વ વિરતિ સંયમ ગ્રહણ કરે છે, ત્યાગવૃત્તિ ઉદય પામે છે. પૂર્વાધ્યાસનાં ડોકિયાં વારંવાર થવાથી ભૂલ થાય છે અને ભૂલોને પશ્ચાત્તાપ પણ થયા કરે છે. અહીંયા સાધક દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી જીવાદિક નવા પદાર્થ જાણે, સહે, પ્રરૂપે અને સ્પશે. સત્તર ભેદે સંયમ નિર્મળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આ એક પચ્ચ ર યથાશકિત
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy