SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જીવના અધ્યવસાયે ૨૭. મરવું, ગિરિ શિખરથી પડતું મેલવું વગેરે આચરણાઓ સ્વયં પાપરૂપ છે. અને તેનું ફળ નરક આદિ કુમતિ હોઈ શકે. પરંતુ આયુષ્ય બંધ કર્યા પૂર્વે આવા આચરણ કરતાં સ્વભાગથી શુભ નિમિત્તારા શુભ ભાવના આવી જાય તો જીવ અનિષ્ટ કાર્ય કરવા છતાં પણ શુભભાવના વેગે શુલપાણી યક્ષ વગેરેની માફક વ્યંતરની શુભગતિ પ્રાપ્ત કરે છે. દેરડા વડે પ્રાણને ઘાત કરવો. કોઈપણ પ્રકારના આંતરિક કે બાહ્ય દુઃખથી કંટાળી ફાંસો ખાઈને મરવાના દાખલા વર્તમાનમાં દુઃખ કલેશથી કંટાળેલા માનવોમાં વધુ જોવાય છે. કઈ પણ આફત કે દુઃખના કારણે વિષ ભક્ષણ કર્યું હોય પરંતુ પુનઃ શુભ ભાવનાના યોગે વ્યંતરમાં જાય છે. આવા પ્રસંગે મોટે ભાગે લક્ષ્મીવ તેને ત્યાં બને છે. જાણતા કે અજાણતાં જળમાં કે અગ્નિમાં પ્રવેશ કરી મરતાં શુભ ભાવના પામતે જીવ કુમારનંદીની પેઠે વ્યતરમાં ઉપજે છે. આવા દ ખલા મધ્યમ વર્ગમાં વધુ મળી આવે છે. સુધા અથવા તૃષાના દુ:ખથી પીડાતા જીવ પિતાના પ્રાણ ત્યાગ કાળે શુભ ભાવનાના યોગે મરે તે વ્યંતર થાય છે. આવું દીન વર્ગમાં વધુ હોય છે. કઈ મહાન દુઃખથી પીડાતે સાહસિક જીવ દુઃખથી કંટાળેલ હાવાથી પર્વતના શિખર ઉપરથી પડતું મૂકે તે મરતાં શુભ ભાવનાના વેગે વ્યંતર થાય છે. શુભ ભાવનાના અભાવે તે સ્વ સ્વ અધ્યવસાય અનુસાર તે તે કુતિમાં ઉપજે છે. જયોતિષી વૈમાનિક દેવ ગતિ વનમાં રહી ભયની અંદર ઉપજનારા બટાટા, શકરીઆ, સૂરણું, કંદ, ગાજર આદિ કંદમૂળનું ભક્ષણ કરનારા તાપસ મરીને ભુવનપતિથી માંડી જ્યોતિષો સુધીમાં ઉત્પન્ન થઇ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy