SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજુ સ.સ્વાદન ગુણુસ્થાન ૧૦૭ ઉપશમ સમ્યક્ત્વની ઉત્પતિ આ સસારમાં રહેલા જીવ મિથ્યાદર્શન મેાહનીય આદિ હેતુથી અનંત પુદ્ગળ પરાવત સુધી અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખાને અનુભવ કરતા મહામુશ્કેલીથી, પર્વતની નદીને પત્થર અથડાતા અથડાતા ધસાઈને એની મેળે ગાળ થઈ જાય છે તેમ અનાભાગ વડે, ઉપયેગ વિના અજાણપણે શુભપરિણામરૂપ યથાપ્રવૃત્તિ કરણ કરે છે. કરણ એટલે આત્માના શુભ પરિણામ. તે યથાપ્રવૃત્તિકરણ વડે આયુષ્ય વિના બાકીના જ્ઞાનાવરણ આદિ સાત કર્મની સ્થિતિ પક્ષેાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક ક્રોડાક્રેાડી સાગરાપમ પ્રમાણ કરે છે, અહીં કર્મ પરિણામ જન્ય તીવ્ર રામદ્વેષરૂપ ગાઢ અને લાંબા કાળથી રૂઢ થયેલી દુર્ભેધ ગ્રંથિ પ્રાપ્ત થાય છે, કર્મથી ઉત્પન્ન થયેલ તીવ્ર રાગદ્વેષરૂપ આત્માના પરિણામ તેજ ગ્રંથિ છે. આ ગ્રંથિ સુધી અભવ્ય જીવે પણ યથાપ્રવૃતિ કરણ વડે પૂર્વ કહ્યા પ્રમાણે કા ક્ષય કરી અનંતવાર આવે છે. પરંતુ તે ગ્રંચિ ભેદ કરી શકતા નથી, એટલે કે તે આત્માને સમ્યક્ત્વ પ્રાપ્ત કરતાં અટકાવનાર ગાઢ રાગ દ્વેષને છેદી ભેદી શકતાં નથી, યથાપ્રવ્રુત્તિકરણ થયા પછી જેને મેક્ષનુ સુખ નજીકમાં છે એવા આસન્ન ભવ્ય મુકિતગામી કાઈ મહાત્મા તીક્ષ્ણ કુહાડાના ધાર જેવા અપૂર્વક રૂપ પરમ વિશુદ્ધિ વડે ઉપરકત સ્વરૂપવાળી ગ્રંથિના ભેદ કરીને અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. તે અનિવૃત્તિકરણના સંખ્યાતમાં ભાગ ગયા પછી ઉદય સમયથી પ્રારભી મિથ્યાત્વ માહનીય કર્માંની અંતર્મુત પ્રમાણુ સ્થિતિને છેડીને તદૂત કાળપ્રમાણુ અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે અંતર્મુહૂત કાળમાં વેદા યેાગ્ય મિથ્યાત માહનીય કર્મના પુદ્ગલેાને અભાવ કરવારૂપ ક્રિયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy