SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાં સાસ્વાદન ગુણસ્થાન સાસ્વાદન = સ + આસ્વાદ + અન. માવાન વર્તતે રૂતિ સાસ્વાદન. સમ્યકત્વના આસ્વાદ સાથે જે હોય તે સાસ્વાદન. સભ્યત્વના સ્વાદવાળું તે સાસ્વાદન કહેવાય. કેઈ ઉપલા ગુણસ્થાનમાં પતન થતાં છેક નીચે આવતાં આ ગુણસ્થાનની ક્ષણિક પ્રાપ્તિ થાય છે. આ વખતે ચિત્તની શાંત વૃત્તિને ક્ષણિક આસ્વાદ રહે છે. આ સ્થાનકે જે પહેલા ગુણસ્થાનથી આવતા નથી. પણ ઉપરથી જેનું પતન થયું હોય તેઓ પડતાં પડતાં ક્ષણવાર આ સ્થાને રોકાઈ જાય છે. ઉપશમ સમકિત પ્રાપ્ત થયા પછી કષાયના કારણે તેમાંથી પતન થાય છે એટલે કે તે સમકિત વમી નાખે ત્યારે જે સ્વાદ સમક્તિને રહી ગયો હોય તે સાસ્વાદન કહેવાય. અનંતાનુબંધી કષાયના ઉદયથી ઔપશમિક સમ્યગદર્શનથી પડતાં તેના રસનો આસ્વાદ લેતો જ્યાં સુધી મિથ્યાત્વને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલિકા સુધી સાસ્વાદન સમ્યગદષ્ટિ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034796
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha
Publication Year1964
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy