SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) અને પૂજારાઓને સત્કાર કરી તેમને વિસઈને ત્યાંથી પાના નગર તરફ ચાલે માર્ગમાં ભિલ્લની સેનાએ અટકાવ્યા તે વાતની મેઘર થને ખબર પડતાં તે ઉતાવળે સૈન્યલઈને ત્યાં આવ્યા એટલે બે બાજુથી બંને જણાએ ભિલ્લા ઉપર પ્રહાર કરવા માંડયાથી લિપતિ અને ભિલે સર્વ નાશી ગયા, એ અવસરે જયરથને દેશ સ્વામી રહિત છે એમ જાણુને નજીકના સિમાડાવાળે મહાદુર્મતિ જયપાળ રાજા તેને ઉપદ્રવ કરવા પ્રવ. તેના ખબર સાંભળીને જયરથ રાજાને પોતાના નગર તરફ રવાને કરીને યુદ્ધ રસિક મેઘરથ જયપાળ સાથે શુદ્ધ કરવા માટે સીમાડા તરફ ચાલ્યા તેની સાથે યુદ્ધ કરી તેને બાંધી લઈને સિદ્ધ થયા છે અને રથ જેના એક મેઘરથ પોતાના નગર તરફ ઉતાવળે રવાને થ. જયરથ રાજા જે દિવસે પોતાને નગરે પહોંચ્યા તેજ દિવસે મેઘરથ પણ જયપાળને લઈને ત્યાં આવ્યો અને મૂર્તિમાન જયની જેમ તેને રાજા પાસે અર્પણ કર્યોનગરજનોએ તે દિવસે મહટે ઉત્સવ કર્યો. રાજાએ તે દિવસે ગુમિમેક્ષ' કરાવેલ હોવાથી જ્યપાળને પણ છેડી મૂઠ અને તેને સત્કાર કરીને તેના દેશ તરફ વિદાય કર્યો. અન્યદા વિજયઘોષ નામના આચાર્ય કસુમખંડ નામના મહ મનહર ઉદ્યાનમાં સમવસર્યા;ઉદ્યાનપાળે ખબર ૧ બંદીવાનને છેડી મૂકવા તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034791
Book TitleCharitavali athva Katha Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy