________________
(૫૬) એમાં દિનપર દિન થતો જાય છે. જ્યારે કન્યાઓ આપવામાં આવતી ત્યારે કન્યાને પોતાના સસરાના ઘરનો ધર્મ સ્વિકાર પડતો; એટલે જો મેશ્રી કન્યા હોય ને શ્રાવકમાં આપી હોય તો તે સાસરે જઈ કંઠી તોડી નાંખે, અને શ્રાવક કન્યા મેશ્રીમાં આપી હોય તે સાસરે જઈ કંઠી બાંધે, એમ ચાલતું. આજે એ નાતમાં ઘણાય એવાં કુટુંબ છે કે શ્રાવકનું મેશ ળ મેથીને ઘેર હોય અને મેશ્રીનું મે.શાળ શ્રાવકને ઘેર હોય છે. એ પ્રમાણે એકજ નાતમાં એટલે શ્રીમાલી, શ્રીમાલીમાં અને પિરવાડ પિરવાડમાં ધર્મભેદ છતાં કન્યા આપતા લેતા એટલું જ નહિ, પણ પિરવાડ, શ્રીમાલીમાં કન્યા આપતા લેતા અને શ્રીમાલી, પોરવાડમાં કન્યા આપતા લેતા હતા. કાઠીઆવાડમાં શ્રીમાલી તથા પિરવાડને માટે જ છે, તેઓ અરસ્પરસ કન્યા વ્યવહાર રાખે છે, ને ગુજરાતમાં હજીપણુ વખતે વખતે એ બે નાતેમાં અરસ્પરસ કન્યા અને પાય લેવાય છે. પરંતુ ગુજરાતમાં દહાડે દહાડે એ વહિવટની વિરૂદ્ધ વલણ થતું જાય છે.
ક્ષત્રિયોના વર્ગમાંથી રજપુત, કાઠી આદિ બાદ કરીએ તે પછી તેમના ઝાઝા ભેદ રહેતા નથી. રજપુતાદિ ક્ષત્રિયોથી તદન જુદા પડી ગયા છે, ને તેમનામાં પણ કન્યા વ્યવહારના સંબંધમાં અનેક ભેદ કુળાદિ કારણેને લીધે પડ્યા છે.
કણબી અને બીજા ધંધાદારીઓની નાતેની પણ એજ વ્યવસ્થા છે. એટલે એકજ નાતના લોક પેટા નાતો છતાં અરસ્પરસ ખાધા ખવરાવ્યાને વ્યવહાર રાખે છે ખરા, પણ પેટા નાતેમાં અરસ્પરસ કન્યા વ્યવહાર નથી.
કેટલીક બ્રાહ્મણની અને કેટલીક વાણિયાની નાતોમાં, તેમજ ધંધાદારીની નાતેમાં પણ ગોળ, સંભા કે એકડા બંધાયા છે. તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com