SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ રિાવ છે. આ વસ્તુસ્થિતિ ઉપર લક્ષ આપી પાલન કરનાર તરીકે વિષ્ણુ અને નાશ કરનાર તરીકે શિવ એ પ્રમાણે બે મહાટા દેવ દાખલ કરવામાં આવ્યા છે. તેમ બ્રહ્મા (વાયુ) નામે સ્તુતિના દેવને વસ્તુ માત્રના સરજનાર તરીકે પુરાણોમાં દેવત્રય ( ત્રણ રૂપે એક ઈશ્વર ) માં પણ અગ્નિ, વાયુ, વિગેરે બદલાઈ રતીને કણ થઈ ગયે. અને એજ વેદમંત્રને અર્થ “હે વિષ્ણુ ! તમારાં પરાક્રમ વર્ણવવા પ્રયાસ કરનાર રેતીના કણ ગણવાને પ્રયાસ કરે તેવું છે !! એના એજ વેદસુકતના અંતમાં આવે છે કે તારાં વાસ્તુનુષ્ય સિT મળે અન્ન ના મહિલા કયાઃ અમે તે વાસ્તુમા જવા સ્તવિએ છીએ કે જ્યાં (ભૂરીગા) લાંબા વિસ્તારવાળાં (વે) કિરણે છે. આવો અર્થ તેને ભાખ્યકારોએ કર્યો છે, છતાં પુરૂનમ વિષ્ણુનું ધામ મરી એટલે લાંબાં શીંગડાંવાળી છે એટલે ગાયોનું ભરેલું ગેલોક થઈ ગયું ! ! ! ૪ વિષ્ણુ ર્વિજત્રધાનપદક્ષ ( યજુ. અ. ૫ મં. ૧૫ ) તેને અર્થ (૧) સૂર્યનું પ્ર4િ, અંતરિક્ષ અને આકાશમાં ત્રણ પ્રકારે વ્યાપવું તે (૨) ઉદય મધ્યાહુ અને અસ્ત અથવા (૩) સૂર્યનું અગ્નિ, વિધુત અને આદિત્ય રૂપે પ્રકાશવું તે. આવો દુર્ગાચાર્ય તથા આભાવ લખે છે. આ મંત્રને અલંકાર આપીને બળી રાજા પાસે વિષ્ણુએ સાડાત્રણ ડગલાં જમીન માગી વિગેરે એ બાબતમાં આખું કથાનક ઉભું કરી પુરાણકારોએ કલ્પનાને અજબ ઘેડો - ડાળે છે !! વેદ મં. ૧ સૂ. ૩૨ નં. ૫-૭ નો અર્થ ” સૂર્ય અત્યંત તિક્ષણ વિધુત કિરણ રૂપિ અસ્ત્ર વડે અત્યંત બળવાન તરફ વ્યાપક મેઘને છિન્નભિન્ન કરીને ભૂમિ ઉપર પ્રસરાવ્યું ” આ મંત્રના આધારે “વૃત્રાસુરની ચમહારિક કથા બ્રહ્મવૈવર્તાદિ પુરાણમાં ગોઠવી છે. પાન કાળા ત્રાયતે સા ગાયત્રી પ્રાણનું રક્ષણ કરવાવાળી ગાયત્રી છે માટે પ્રાણુયામ વડે પ્રાણુશક્તિને સ્વાધિન અને સ્થિર કરવી અને માનસિક સ્વૈર્ય થયા પછી શ્રદ્ધાથી અઋત્મ જ્ઞાનમય ગાયત્રીને જપ કરવો આવો જવા શબ્દનો અર્થ છોડીને તેનું સાદશ્ય જોઇ ગયા નામના ગામમાં પિતૃશ્રાદ્ધ કરવાનું ઠરાવ્યું છે ! આવી રીતે વેદની અનેક ત્રચાઓને કાંતે મૂળ અર્થ ન સમજાયાથી તેને અગ્ય અર્થ કરીને અથવા સમજ્યા છતાં તેને અલંકારાદિ આપી એવી તે રહસ્યમય વાર્તાઓ પુરાણના કર્તાઓએ ફ્રી છે કે તેનું મૂળ સ્વરૂપ પણ સમજવું કઠણ પડે છે. ઉપરાંત નદીઓ, પર્વત, મેઘ, વાયુ, અગ્નિ, સૂર્ય, સંવત્સર, માસ, ઋતુઓ, પ્રકાશ, વિગેરેને અલંકારાદિથી વિભૂષીત કરી તેમાં છવાપણું કરી મનુષ્ય, દેવ કે રાક્ષસના નામે મૂતિમાન ચીતરી, તેમાં અનેક ચમત્કારિક અને મનોરંજક વર્ણન કરી કાવ્યશક્તિને ચમકાવી “જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ” એ કહેવતને ચરિતાર્થ કરી બતાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy