SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ આ માર્ગવાળા પોતાની સર્વ ક્રિયાઓ ગુપ્ત રાખે છે, કોઈને પણ જાણવા દેતા નથી. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ માર્ગના અનુયાયી કઈ પણ થી પુરૂષ પોતાની ક્રિયાઓ જાહેર પાડી દેશે એ શક આવતાં જ તેને મારી નાંખે છે ! તેમના ગ્રંથે પણ બીજાના હાથમાં બનતા સુધી જવા દેતા નથી. એટલે આ માર્ગ હિંદુસ્તાનમાં ઘણું ગુમ રીતેજ ફેલાયેલો છે. તેથી તેની સંપૂર્ણ હકીકત મળવી ઘણું મુકેલ છે. આ મત માનનારા ઘણે ભાગે આસામ, બંગાળા, બિહાર અને નેપાળના છુટક છુટક ભાગોમાં, મદ્રાસના કાંઈક ભાગમાં અને સિંધ, કરછ તથા કાઠિયાવાડના કાંઈ કાંઈ ભાગમાં છે એમ જણાયું છે. સાંભળવા પ્રમાણે તેમાં બ્રાહ્મણ વિગેરે ઉચ્ચ વર્ણના પણ માણસે છે. વિદભાષ્ય લખી વિદના વિપરીત અર્થ કરનાર મહિધર પણ આ વામમાર્ગના કૅલ મતાનુયાયી હતો. એવું પણ સિદ્ધ થયું છે. अन्तः कौला बहिः शैवाः सभा मध्येच वैष्णवाः॥ नाना रूप धरा: शाक्ता विचरन्ति कलौयुगे ॥ આમ હોવાથી આ સંપ્રદાયના અનુયાયી કેટલા હશે તે કહેવું કઠણ છે. પુરાણકાળ. ઈ. સ. ની શરૂઆતથી તે ઈ. સ. ના ૧૯મા સૈકા સુધીની અધવચ સુધી, બાદ મત જોર ઉપર આવ્યાથી આર્ય ધર્મ ટકી વેદનું નામ નિશાન પણ રહેવું કઠણ જણાયાથી બ્રાહ્મણોએ પ્રથમ શિવધર્મ અને ચાગી મતને પ્રચાર કરવા માંડ્યા. પરંતુ આ જ્ઞાનગમ્ય કઠણ વિષય તરફ લોકોની રૂચિ થઈ નહિ, તેથી લોકોની રૂચિને અનુકળ થઈ પડે એવા સરળ ધર્મની જરૂર જણાયાથી બ્રાહ્મણોએ પુરાણે રચવા માંડયાં. સઘળાં પુરાણું એક સમયે રચાયેલાં નથી, પણ પ્રસંગવશાત્ દેશ જુઓ હિંદુજાતિ વર્ણવ્યવસ્થા કલ્પદ્રુમ નામનું હિંદી પુસ્તક ૧. પુરાણું એટલે બનું. અર્થાત્ જીનાં લખાણે. એવું નામ રાખવાનું કારણ નવી કલ્પનાને બની કરાવવાની હતી. ૨. મૂખ્ય પુરાણે ૧૮ છે. (૧) બ્રહ્મ પુરાણ (૨) પદ્યપુરાણ. (૩) વિષ્ણુપુરાણ. (૪) વરાહપુરાણ, (૫) કંદપુરાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy