SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ગણિત-એગી માર્ગ . આ ત્રણ પ્રણિત યોગી માર્ગ શ્રી રામચંદ્રજીના ગુરૂ વશિષ્ટથી ચાલતા ચાવેલો છે, પરંતુ આ માર્ગ ઘણો ઠિણ હોવાથી તેમાં પરમહંસ અને સન્માસિએ સિવાય બીજ ઝાઝા માણસો દાખલ થઈ શક્તા નહોતા, તેથી એ મત વધારે પ્રચલિત નહોતો. વેદના સાનકાંડને મુખ્ય ગણી વિદાક્ત ધર્મની યજ્ઞાદિ સઘળી ક્રિયાઓ કરવી, જીવ હિંસા કરવી નહિ, ગાયત્રીને જપ કર, અને પ્રાણાયામાદિથી ચિત્તની શુદ્ધિ રાખી સર્વત્ર વ્યાપક અને નિરાકાર, નિરંજન, જયોતિ સ્વરૂપ ઈશ્વરમાં મન જડવું એ આ માર્ગના મૂખ્ય સિદ્ધાન છે. મહાત્મા વેર્દવ્યાસ પણ આ ધર્મમાં હતા. તેમણે “ આત્મા સર્વત્ર એકજ છે, વેદને સાકાંડ એજ સત્ય ધર્મ છે, પૂર્ણ જાતિ એ એક આત્મ દષ્ટિ છે, અવિવા સંસારનું મૂળ છે, ચી સંગ એ નર્કનું ઢાર છે, દેવો કપિત છે, સર્વ કિયા મનોવિકારે ઘડી કહાડી છે, ગુરૂ આશા એજ મહાવાકય છે. રાહiા એજ તારણ મંત્ર છે. સાઉં એ શબ્દ જ્ઞાનનું ઘર છે. ૪ નું ચિત્વન એ ગ્રુધ મંત્ર છે, નાદાયાસ એ સ્વર્ગ દર્શન છે. ધાતા નિતિ, બસ્તિ, નળી ક્રિયા, વિગેરે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. " વિગેરે તો દાખલ કર્યા હતાં. આ માર્ગમાં ઈ. સ. પૂર્વે ૬ ઠા સકામાં પતંજલી નામના ઋષિ થઈ ગયા, તેમણે આ માગવા સિદ્ધાંત સરળ રીતે સમજાય તે સારૂ યોગાનુશાસન અથવા યોગ દર્શન નામનું પુસ્તક લખ્યું છે. યોગ કેવી રીતે કર, ક્યા કયા નિયમો પાળવા અને કેવી રીતે વર્તવું કે જેથી માલ મળે તે વિસ્તારથી તેમાં જણાવ્યું છે. તેમના પરપરા ઉજજનના પ્રખ્યાત પરદુઃખભંજન મહારાજ વિર વિક્રમાદિત્યના સમયમાં મક્કેન્દ્રનાથ અને ગોરખનાથ નામે સુપ્રસિદ્ધ યોગીઓ થઈ ગયા છે, તેમણે હઠ દીપિકા નામના ગ્રંથ લખ્યો છે. આ ધર્મના લાકે બાદ જેનાદિ સાથે પણ વાદવિવાદમાં ઉતર્યા હતા. એક બાજુએ પુરાણા આચાર્યો અને બીજી બાજુએ આ મતના યોગિઓએ બાદ નાદિ સાથે વાદવિવાદ કરી ધર્મનું રક્ષણ કર્યું હતું. આ મતના કેટલાંક તત્વો થાય અને ન વિગેરે મતવાળાઓએ પણ પોતાના ધર્મમાં ૧. આ પરંપી વેદવ્યાસ દાનમાબ અને નિરાકાર પરમાત્માના ઉપાસક હતા એમ સ્પષ્ટ છે, તેમને જ પુરાણોના કત્તાં જણાવી સાકાર પરમાત્માના ભક્ત જાવ્યા છે !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy