SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ કર્યું, તેથી રાજા પોતે શંકરને ત્યાં મળવા ગયા અને પિતાનાં રચેલાં ત્રણ નાટકે બતાવ્યાં. શંકરે તે વાંચી જોઈ રાજની આવી ઉત્તમ વિદ માટે આનંદ દર્શાવ્યો. દેશમાં ચાલતા અનેક મતપંથની જાળ કાપી વેદના જ્ઞાનકાંડને ઉદ્ધાર કરવાની શંકરને તિવ્ર ઈચ્છા થઈ, પરંતુ આવી લઘુ વયમાં તેમને તેમનાં માતાજી સંન્યાસ લેવાદે તેમ ન હોવાથી ગુંચવાતા હતા. એક દિવસે માતાજી સાથે આવતાં રસ્તામાં એક નદીના મધ્ય સ્થળે આવ્યા તેટલામાં જ નદીમાં પાણી ચઢવા લાગ્યું. પાછા ફરીને પણ સામે કાંઠે જઈ શકાય તેમ નહોતું, તેથી ડુબી મરવાનો સમય નજીક આવ્યો સમજી તેમનાં માતાજી ગભરાયાં તે જોઈ તેમણે સમયસુચકતા વાપરી માતાજીને કહ્યું કે “જે આપ મને સંન્યાસ લેવાની રજા આપે તે હું બચવાનો યત્ન કરું, નહિત આપણા બેઉના પ્રાણ નાશ પામશે.' માતાએ ભયભિત થઈને ગભરાટમાં પુત્રને સંન્યાસ લેવાની રજા આપી, એટલે પોતાની પીઠ ઉપર માતાને બેસાડી શંકર બળપૂર્વક દોડયા અને સહીસલામત્ત નદી પાર આવી પહોંચ્યા. થોડા સમય પછી માતાને પ્રણામ કરી તેમણે સંન્યાસ લઈ ઉપદેશ આપવાનું શરૂ કર્યું, અને વેદના જ્ઞાનકાંડને ઉપદેશ આપી જીવ શિવનું એકપણું જણાવી અતિ માર્ગની સ્થાપના કરી એ માર્ગનું નામ કેવલાદ્રત રાખ્યું. દારૂઆતમાં સનંદન નામના બ્રાહ્મણને શિષ્ય કરી સંન્યસ્ત દીક્ષા આપી તેનું પs પાદાચાર્ય નામ રાખ્યું. એક વખત શંકરાચાર્ય નિત્ય નિયમ પ્રમા ગંગા કિનારે આન્ડિક કર્મ કરવા જતા હતા ત્યારે માર્ગમાં એક ચંડાળ ચાર ભયંકર કુતરાઓ સાથે તેમને સામે મળ્યો. શંકરાચાર્યે તેને દુર જવાનું કહ્યું એટલે તેણે જવાબ આપ્યો કે તમે વેદાંતમાં કુશળ હોવા છતાં પણ આવી ભેદ બુદ્ધિ કેમ રાખો છો ? તમે મહાર દેહને દુર જવાનું કહેતા હો તો તે તમારા કરતાં કાંઈ જુદો નથી. આ સાંભળી તેમની ભેદબુદિ જતી રહી. તેમણે પાશુપત મતનું ખંડન કર્યું, કુમારિક જદની સુચના પ્રમાણે તેમના શિષ્ય મંડન મિશ્ર સાથે વાદવિવાદ કરી તેમાં જીત મેળવી વેદના સાનકાંડને મુખ્ય અને કમ તથા ઉપાસનાને ગાણ સિદ્ધ કરી વિજય મેળવ્યો. મંડનમિત્ર પણ તેમને શિષ્ય થયો અને સુરેશ્વરાચાર્ય નામ ધારણ કર્યું. એક વખતે દક્ષિણમાં ભૈરવ મતના એક કાપાલિકે શંકરાચાર્યને એકલા સમાધિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy