SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ નિર્બળ થઈ ગયા, તેથી તેઓએ પરાજિત થઈ માન ધારણ કર્યું. સુધન્વા રાજના મનમાં પાકું ઠસી ગયું કે પ્રાચીન ઈશ્વર પ્રેરિત વેદમાં કહેલા ધર્મ સત્ય છે, તેથી તેણે તેને સ્વિકાર કર્યો. ત્યાર બાદ ભટ્ટાચાર્ય નીચેને શ્લોક જે મહાત્મા બિદ્ધના નિર્વાણ પછી તે ધર્મના કોઈ સ્વછંદી યતિએ નવિન બનાવી દાખલ કરેલો હતો. તે બતાવી તેમનું ભોપાળું ખુલું કરી નાંખ્યું. "क्षणीकाः सर्व संस्काराः नात्या स्थायि । तस्मात् भिक्षुषु સત્તાના કામસુત શમ્ અર્થાત્ સર્વ પદાર્થ ક્ષણિક છે–નાશવંત છે, આત્મા પણ સ્થિર થી માટે યતિઓ પરદારાનું આક્રમણ કરે તે ઈર્ષા કરવી નહિ.” આ કુતક વાળે શ્લોક જાહેર થતાં જ રાજા અને પ્રજા તરફથી બદ્ધધર્મવાળાઓ ઉપર ફીટકાર વરસાદ વરસવા લાગ્ય, સર્વે તેમને તિરસ્કારની દષ્ટિથી જોવા લાગ્યા. તેથી તેઓમાંના કેટલાએક તો તે વખતે પ્રચલિત એકાદ સંપ્રદાયમાં દાખલ થઈ ગયા અને કેટલાએક આ દેશ છોડી ચીન, જાપાન, તિબેટ, બ્રહ્મદેશ, સિંહલદિપ વિગેરેમાં જતા રહ્યા. આ રીતે બધધર્મને આ દેશમાંથી નાશ થયો અને પૂર્વની પેઠે યજ્ઞાદિ ક્રિયાઓ ચાલુ થઈ. ગુરૂદ્રોહના કરેલા પાતકના પ્રાયશ્ચિત માટે કુમારિક ભટ્ટ પ્રયાગમાં ત્રીવેણી કિનારે ચિતા રચાવી અગ્રિમાં પ્રવેશ કરવા તૈયારી કરી તે જ સમયે વેદના જ્ઞાનકાંડને ઉપદેશ કરતા કરતા શ્રીમાન રશંકરાચાર્યજી ત્યાં આવી પહોંચ્યા અને પોતાની સાથે વાદવિવાદ કરવાની અરજ કરી. પરંતુ કુમારિલ ભટ્ટ જવાબ આપ્યો કે હું તો અગ્નિ પ્રવેશ કરવાની તૈયારીમાં છે માટે વિવાદ કરી શકું તેમ નથી, છતાં તમારી મરજી હાયતો મારા શિષ્ય મંડનમિત્ર સાથે વાદવિવાદ કરજે. એમ કહી તેમણે અનિમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ શંકરાચાર્યજીએ મંડન મિશ્ર સાથે ૧. આ વાદવિવાદનું પરિણામ જાહેર કરવા માટે મંડન મિશ્રની રી સરવતિને ન્યાયાધિશ કરાવવામાં આવી હતી, તેણે શંકરાચાર્યની છત થયાનું નહેર કર્યું હતું. આવા ધાર્મિક વાદવિવાદનો ન્યાય કરવા માટે જે યોને ન્યાયાધિશ નીમવા બંને પક્ષકારે મંજુર થયા હતા, તે સ્ત્રી સારામાં કેટલી પ્રવિણ હેવી જોઈએ તે વાંચનારાજ વિચારી લેવું જોઇએ. વેદાકિ સાસ ભણવાને ૨ીને અધિકાર નથી એવું કહેનારા, જરા આંખે ઉપાડી જુગા!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy