SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આ પરથી સ્પષ્ટ સમજી જવાય છે કે સચ્ચરિત યા સદાચરણિત એ ભક્તિનું સહજ પરિણામ છે, એ ભક્તિને રસાસ્વાદ અથવા ભક્તિરસનો મુખ્યરૂ૫ સ્વાદિષ્ટ પરિપાક છે, એ ભક્તિનો પ્રભાવ અને પ્રકાશ છે અને એ ભક્તિને વાસ્તવિક તથા અવસ્પન્જાવી અર્ક છે. આ બધી બાબત આ મા-મારતી તેત્રમાં વાચક જોશે. ભક્તિ માણસને વાસ્તવિક ધર્મને સાધક બનાવે છે. અને એમાં જ ભક્તિની સફલતા છે. ધર્મ વિચાર તથા આચાર બન્નેમાં વ્યાપ્ત થઈને પૂર્ણ બને છે. શુભ વિચાર, કલ્યાણી ભાવના, વ્યાપક મિત્રી (સૌહાર્દી અને રાગ-દ્વેષના દેશ-વિકારથી મુક્ત થવાપણું એ વિચારગત ધર્મ છે; અને સત્ય-અહિંસા, પરોપકાર-સેવા, નમ્રતામૃદુતા,શિષ્ટતા-સભ્યતા, ક્ષમા સહિષ્ણુતા વગેરે સદગુણોથી સુશોભિત વર્તન-આચરણ એ આચારગત ધર્મ છે. જગતમાં ધર્મ-સંપ્રદાયો ઘણું છે, એમનાં તત્વજ્ઞાન અને ક્રિયાકાંડામાં ઘણી ભિન્નતાઓ છે, એમ છતાંય કોઈપણુ મજહબને સદબુદ્ધિ સજન સત્ય-અહિંસારૂપ સન્માર્ગ પર ચાલીને પિતાનું કલ્યાણ બરાબર સાધી શકે છે. ધર્મતત્વ મા ધમ માર્ગને કોઈએ ઇજાર રાખે નથી. કેઈપણ ભલી બુદ્ધિવાળે સજજન એને સમજી શકે છે અને પિતાના જીવનમાં ઉતારી શકે છે. ચન્દ્ર, સૂર્ય વગેરે બધાયના છે તેમ ધર્મમાર્ગ યા ધર્મતત્વ બધાયને માટે સમાનરૂપે ખુલ્લું છે. તે કાઈ વાડા યા ચેકામાં નિયત્રિત નથી. સત્ય સર્વત્રનિરાબાધ વ્યાપક છે. માણસ સમજે કે કલ્યાણમાર્ગને ઉપદેશ જેમ મારા ધર્મ-સમૃદાયમાં છે, તેમ અન્ય ધર્મસઅદામાં પણ છે. ન થવું જોઈએ, કિન્તુ ગુણીના ગુણેના ગ્રાહક બનવું જોઈએ, અને કયાંયથી પણ આવતાં સારાં કિરણે યા સ્વચ્છ હવા લેવા માટે પિતાના હદયનાં દ્વાર ખુલ્લાં રાખવાં જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034771
Book TitleBhakta Bharti athva Bhagwat Panchashika
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherKantilal Nihalchand
Publication Year1953
Total Pages38
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy