SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના–૧૧. [૪૯] શંકાનું સ્વરૂપ અહીં સમજાશે. સમ્યકત્વ કયારે પમાય ? ગ્રંથિભેદ થાય ત્યારે. યથા પ્રવૃત્તિ કરણ કરીને અનિવૃત્તિએ અવાય ત્યારે. યથાપ્રવૃત્તિ કરણ કયારે થાય? અંતઃકડાકડી જેટલી કર્મની સ્થિતિ બાકી રહે ત્યારે. અગણેતરની સ્થિતિ અજાણતાં તટે છે. આ કર્મ તૂટવાથી ગુણ પ્રગટ થશે એવું તે વખતે જીવ જાણતો હોતો નથી, તેથી તે વખતની નિર્જરાનું નામ અકામ નિર્જર. તે વખતે જીવાજીવનું જ્ઞાન નથી, કર્મો તુટવાથી ગુણો પ્રગટે છે એવું ભાન નથી, છતાં વગર ઈચ્છાએ દુઃખ ભેગાવતાં ભેગવતાં જીવ કમ ખવાતે છે તેનું નામ અકામનિર્જરા ! દુકાને વેપાર કરીને પણ વકરે થાય અને હરાજી કરીને પણ માલના પિસા મેળવાય છે. અકામનિર્જરાની સ્થિતિવાળું સાધન જે જ્ઞાનીને મળ્યું હોય તે તે સાગરોપમનાં દુઃખેને ક્ષય કરી શકત, પણ તેજ કષ્ટથી માત્ર થોડા વર્ષોનાં કર્મો તુટ્યાં કારણ કે ત્યાં સકામ નહિ પણ અકામ નિર્જર હતી. અકામનિર્જરા તથા સકામ નિર્જરાના અંતરને જણાવનાર તામલિ તાપસનું દૃષ્ટાંત. તામલિ તાપસને છઠ્ઠને પારણે છઠ્ઠની ઉગ્ર તપશ્ચર્યા કરતા ડો. પારણને દિવસે જ મિક્ષા લાવે છે તે તે એકવીશ વખત સચિત્ત જલથી ધુએ છે. એકવીશ વખત જલથી છેવાયલા ખેરાકમાં યે રસ કસ રહે? આવી તપશ્ચર્યા એણે સાઠ હજાર વર્ષ સુધી કરી. આવી તપશ્ચર્યા કરીને સાઠ સાઠ હજાર વર્ષ સુધી આવું કષ્ટ સહન કરનારની નિર્જરાને શાસ્ત્રકારે અકામનિર્જરા કહી. શાસ્ત્રકાર કહે છે કે એજ તપશ્ચર્યાથી આડ સમકિતી મોક્ષે જાય, ત્યારે તામલિ તાપસને ફલમાં બીજો દેવલેક મળે. એક તરફ મેક્ષ, અને એક તરફ દ્વિતીય સ્વર્ગ, ફલમાં કેટલું અંતર! સકામ નિર્જરા વચ્ચે મહાન અંતર છે. દ૯- કેડાછેડી જેટલી સ્થિતિ એની મેળે ભવિતવ્યતાથી, એટલે અકામ નિર્જરીના ગે તુરી, પણ એક કડાછેડીની સ્થિતિ એમ ન તૂટે. ઉપશમ. પશમ, લાયક વિગેરે સમ્યકત્વ ચૌદ ગુણસ્થાનકે છે. વિદ્યા સાધનામાં સમય વધારે નથી હેતે, પણ પૂર્વ તથા ઉત્તર સેવામાં સમય વધારે જાય છે. રસ્તામાં કચરાનો લેપ લૂગડાને વળગે હેય તે પોતાની મેળે ન જાય, ખંખેરવાથી જાય. અગતેર કેડાડી જેટલી સ્થિતિ તે અકામ નિજે રાથી ગઈ, પરંતુ બાકીની એક કડાકોડી સમયની સ્થિતિ માટે તે પ્રયત્ન જોઈશે જ. ક્ષેત્રમાં ધાજોત્પત્તિ માટે વૃષ્ટિ આદિ કારણ પણ રોટલે તે આપણ પ્રયત્નથી જ થવાને છે. અગ્નિ - આદિ બરાબર ધ્યાનમાં રાખો. પુરૂષાર્થથી જ મુક્તિ મેળવવાની છે. મિશ્ર પરિણામ કયા? તમામ પુદ્ગલેને અંગે પ્રથમ સ્વાભાવિક પરિણામ-પછી પ્રયોગ પરિણામ, પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy