SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૧૦, [૪૩] હોય છે. આજ રીતિએ એ ખરું કે જગતને કઈ પણ કાલ પાપનાં ફલ વગરને નથી એ ખરું, છતાં પણ હિતબુદ્ધિવાળે આત્મા તે એ જ ચિંતવન કરે, કે જગતના જીવે પાપ ન કરે, જેથી પાપ થઈ ગયાં હોય તેઓ પણ દુઃખી ન થાઓ, અને બધા જ જીવે મુક્તિ મેળવે. શરૂઆતમાં સમ્યકત્વની આ પ્રથમ ભૂમિકા છે. મિથ્યાત્વી કહેવાવું કેઈને ગમતું નથી, પરંતુ સમ્યકત્વની ભૂમિકાએ આવવું તે જોઈએ ને! ફરી વિચારો કે, કોઈ પણ જીવ પાપ ન કરે, પાપના ફળ ભોગવીને કઈ પણ જીવ દુઃખી ન થાઓ; સર્વ જીવે કર્મના પાશથી છૂટે; આ ભાવના તે મિત્રી ભાવના! સિદ્ધના જીવો કેમ પાપ કરતા નથી? શંકાકાર-શું છવ તે પાપ કરે છે, જીવને સ્વભાવ પાપ કરવાનું હોય તે સિદ્ધના જીવે પાપ કેમ કરતા નથી?” સિદ્ધના જીવોએ પોતાને વળગેલાં પુદ્ગલે તમામ ખંખેરી નાંખ્યા છે, એટલે હવે ત્યાં પુદગલ વળગે કયાંથી?, તેઓને પાપ કરવાનું, પુદગલ લેવાનું, મૂકવાનું રહ્યું જ નથી. જેમને પુદગલે વળગેલાં છે, અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય આદિ કર્મનાં પુદ્ગલથી જે વ્યાપ્ત છે, લિપ્ત છે, અને જેમણે કર્મોને ક્ષપશમ, કે ક્ષય નથી કર્યો તેમને કર્મ વળગવાપણું છે. એટલે પાપ કરે, કર્મ પુદગલ વળગે, વળી ભગવે; અને છૂટે એમ ચાલ્યા કરે છે. જેઓ કર્તા હર્તા ઈશ્વરને માને છે ત્યાં કઈ હાલત?, રોગ કર્યો ઈશ્વરે અને મટાડ્યો કોણે?, વૈદે. ત્યારે તે એવા ઈશ્વરથી વૈદ સારેને ! પણ ખરી વાત તે એ છે કે તાવ કે રેગ ઈશ્વરે નથી આપ્યો, પણ જીવના પિતાના કર્મના ફળરૂપ છે. પુદગલનાં પરિણામ જ એવા છે કે જે પાપ બાંધ્યાં હોય તે જે તેડ્યાં ન હોય તે ભેગવવાં પડે છે. જેને પાપ નથી, તેને પાપનાં ફલે ભેગવવાનાં નથી, અને નવાં બાંધવાના પણ નથી. સિદ્ધના જ કેવલ વિશુદ્ધ સ્વરૂપે રહેલા છે. कर्तुमकर्तुमन्यथाकर्तुम् જીવમાં ત્રણ શક્તિ છે. તુંબડુમથાર્ત બનાવવું, ન કરવું, અન્યથા કરવું, અર્થાત પલટાવવું એ ત્રણે સામર્થ્ય જીવમાં છે. જે જીવ શક્તિ ફેરવે તે કર્મનું પુરાણ આગળ ચાલી શકતું નથી. જવ કર્મને રોકી પણ શકે છે, પલટાવી પણ શકે છે. કર્મને કર્તા, ભક્તા જીવ જ છે; તેમ જીવ ધારે તે કમને તેડી પણ શકે છે. આવતાં કર્મોને રોકી પણ શકે છે, કર્મમાં પલટે પણ કરી શકે છે. જીવ પિતાની પરિસ્થિતિ પલટાવી શકે છે. શંકા-પાપે પાપ વધે એ કથન આ વાત સાથે કેમ સંગત થાય?, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy