SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૧૦. એવી હોય છે. “ગુનેગારને શિક્ષા થવી જોઈએ” આ ભાવના પાપ કરવા જેટલી ભયંકર છે. આવી ભાવના હોય તે અનકમ્પા, કરૂણા, દયા અને મહેર—નજરને સ્થાન જ કયાં રહ્યું?, જરા બારીકાઈથી વિચાર! દયા કેની તરફ આવવાની?, દુઃખી પ્રત્યે કે સુખી પ્રત્યે ?: સ્પષ્ટ છે કે દયા દુઃખી પ્રત્યે આવે છે. હવે દુઃખી એ દુઃખી શાથી?, પૂર્વ કૃત પાપના ઉદયથી ને? જ્ઞાનની દષ્ટિએ દુઃખી એટલે જૂનો પાપી, અને નવા પાપી એટલે ગુનેગાર. “જે પાપની સજા થવી જ જોઈએ” આ ઉચિત હોય, આ વ્યાજબી હોય તે તે દુઃખી એ પૂર્વ પાપી જ છે. તેની પ્રત્યે દયાને સ્થાન કયાં કહ્યું?, એટલે તે પછી દયા, અને અનુકંપાના તો ઊડી જ જવાનાં ને?, દયા કરવી ક્યાં?, અનુકંપા કરવી કયાં?, કરૂણા કરવી કયાં, કે જેણે પૂર્વે પાપ આચર્યા છે, અને તે છે તે પાપનાં કર્મો ઉદયમાં આવવાથી અત્યારે દુઃખ ભોગવી રહ્યા છે. દુઃખ એ પાપનું ફલ છે. “ગુનેગારને સજા થાય તેમાં આડા અવાય નહિ” એવું જ જો મનાય તે તે દુઃખી માત્ર પ્રત્યે દયા રહે જ નહિ, કારણ કે તે બધા પ્રથમના ગુનેગારો છે. દુનિયામાં જેમ ઈચ્છવામાં આવે છે કે કોઈ પણ ગુનેગાર ન બનો તેમ શાસ્ત્રકારની દષ્ટિએ, જ્ઞાનની દષ્ટિએ આ ભાવના ઈચ્છવા ગ્ય છે કે “કાઈ પણ જીવ પાપી ન બને, પાપ ન કરે!” શું પાપીને સજા થવી જ જોઈએ? કોઈ પણ જીવ પાપ ન કરો એ ભાવનાની સાથે બીજી કઈ ભાવના હોવી જોઈએ? કઈ બીજી ભાવના સંગત છે? પાપ કરનાર તરફ ધિકકાર થાય, પાપ કરનારને સજા થવી જોઈએ, એવી ભાવના થથ તે પછી પ્રથમની ભાવનાને અર્થ જ નથી. પ્રથમની ભાવના સાથે આવી ભાવના સાગત નથી. પાપ કરનારે પાપ કર્યું એ તે ખરૂં પણ પાપ થયું, પાપ થઈ ગયું, પાપ કર્યું, પાપ કરાયું પછી શું? તે એ જીવ પણ દુઃખી ન થાઓ એ ભાવના સંગત છે માટે તેવી ભાવના હોવી જોઈએ. પાપનાં ફલે ભોગવવાં પડે એ ખરું, પણ ભેગવવાં જ પડે, ભગવ્યા વિના છૂટકે નહિ જ; એવી થિયરી જેન શાસનની નથી, જૈન દર્શનને એ સિદ્ધાંત નથી. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે કે – अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । कृतकर्मक्षयो नास्ति काकोटिशतैरपि । અર્થ કરેલાં શુભાશુભ કર્મો અવશ્યમેવ ભોગવવાં પડવાનાં છે; સેકડો ક જાય તે પણ કરેલાં કર્મોને ક્ષય થતું નથી. સામાન્યતઃ આ વકતવ્ય ખરૂં પણ એકાંત નહિ. તપોધર્મથી કર્મ તૂટે છે. તપશ્ચર્યાથી કર્મ તેડવામાં ન આવે તે તે કર્મો ભગવ્યા વિના છૂટકે નથી એ વાત ખરી. જે કરેલા કર્મને ક્ષય ન થતો હોય તે પછી ધર્મનું મૂલ્ય શુ?, પ્રતિક્રમણ-નિદન, ગહન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy