SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૦] શ્રી અમોધ- દેશના સંગ્રહ નથી, પણ એ જ પુદ્ગલે અમુક પરિણામેથી આ જીવને ઈષ્ટ લાગે ત્યારે તેજ પુદગલે અમુક પરિણામેથી આ જીવને અનિષ્ટ લાગે છે.” ભલા આદમી ! આટલી મહેનત કરવાનું શું કારણ? પ્રધાને સમજાવવા શક્ય એટલું કહ્યું પણ પુણલ પરિણમાંતર (પલટો થવે) તે રાજાના ધ્યાનમાં આવતું નથી. પ્રધાને હવે બીજો વિચાર કર્યો, અને અમલમાં મૂકે. એ જ ખાઈ માંથી પિતે મેલું જલ મંગાવ્યું. નેકરે મારફત તે જલને કોલસાથી સાફ કર્યું, તથા સુગંધિ ચીજોથી વાસિત કર્યું. પ્રગથી શું ન બને ?, ગંધાતું જલ પીવા ગ્ય બનાવ્યા પછી પિતે રાજાને, પ્રસંગ મિષે જમવા નોતર્યો. રાજા જમવા આવ્યું, જમવા બેઠે અને જલ તેની આગળ મૂકવામાં આવ્યું. થોડું ભેજન કર્યા બાદ રાજાએ જયારે એ જલ પીધું, ત્યારે તેને ઘણું જ સ્વાદિષ્ટ લાગ્યું. એ જલથી એ રાજાને એ અપૂર્વ સંતેષ થયો કે તે જ વખતે તેણે પ્રધાનને ઉપાલંભ (ઠપકો આપે “સુબુદ્ધિ! આવું પાણી તું એકલે જ પીએ છે ને !, ભલા માણસ, શું પાણીથી એ પાતળે થઈ ગયે ?, આવું મધુર જલ ક્યાંથી લાવે છે?, અગર શી રીતે આવું સુગંધી બનાવે છે ?” પ્રધાને કહ્યું –“રાજન ! ગુહે માફ કરો તે જ સાફ વાત થઈ શકે એમ છે, અન્યથા આપ જલ-પાન કરે, અને બીજું ન પૂછે તે કૃપા. રાજા:-“ગુન્હ માફ, પણ કહી દે જે વાત હેય તે સાફ સાફ !” પ્રધાનઃ-“આ તે જ ખાઈનું પાણે છે કે જેની દુર્ગધથી આપ જીવ લઈને ભાગ્યા હતા. એ જ જલને પ્રગથી આવું બનાવવામાં આવ્યું છે, સત્ય હકીકત આ છે. રાજા -“ભલા આદમી! આટલી મહેનત કરવાનું કારણ?, જગમાં ચોખા જલને કયાં તેટો છે કે ગંદા જલ પાછળ આટલી મહેનત લીધી? ચોખા જલને સુગંધીદાર કરવામાં અલ્પ સમય, અલ્પ શ્રમ જોઈએ. હું નથી સમજી શકતો કે તે આવું શા માટે કર્યું, પ્રધાનઃ- “રાજન ! તમે મારા સ્વામી, છો હું તમારો સેવક છું. તમે દુર્ગતિએ જાઓ એ મને ન પાલવે. તમે સત્ય પદાર્થ ન સમજે તે લાંછન મારા આત્માને છે. પુદ્ગલનું પરિણમન પ્રત્યક્ષ આપને બતાવવાને મારે હેતુ હતે. પુદ્ગલ સ્વભાવે પરિણમે છે, અને જીવ દ્વારા પ્રયેગે પણ પરિણમે છે, અને ઉભય રીતે પણ પરિણમે છે. સુબુદ્ધિ પ્રધાને આ રીતે, પોતે ધારેલા મન્તવ્યની પાછળ પડી, પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા રાજાના મગજમાં પુદ્ગલ પરિણમનની વાત ઉતારી, અને આત્મ કલ્યાણ માટેની ભૂમિકા ઊભી કરી. રાજાએ પૂછ્યું-“પણ આ બધું સમજવું શી રીતે?” રાજામાં જિજ્ઞાસા જાગી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy