SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯]. દેશના-૫ ગૃહસ્થ માટે દાન એજ ધમ ઉત્કૃષ્ટ શાથી?, શીલ, તપ, ભાવ તે સર્વવિરતિની સરખામણીમાં બિંદુ માત્ર છે! છઠ્ઠા ઉદ્દેશામાં પ્રાસુક દાનને અધિકાર છે. ગૃહસ્થ માટે દાન એ જ ધર્મ ઉત્કૃષ્ટ છે. શીલ, તપ, અને ભાવ, ધર્મ ગ્રહસ્થ ગમે તેવાં પાલન કરે તે યે સર્વવિરતિના વ્રત પાલન પાસે બિંદુ તુલ્ય છે. બારે ય વ્રતે શુદ્ધ પાળે તે પણ છાંટે જ છે, તે જરા વિચારે તે સમજાશે. કોઈ શ્રાવક એ છે કે યાવત્ મૃત્યુ કબૂલ પણ કંદમૂલ ના ખાય, કાયાથી બ્રહ્મચર્ય પાળતે હેય, તપસ્વી હોય, પણ માને કે પિતાના પુત્રે કોઈ લાગતાવળગાનું ખૂન કર્યું, પિતાને શક નથી, અને પિતે જાણે કે પુત્રે ખુન કર્યું છે, પુત્ર જ ખૂની છે; છતાંય તે શું કરશે? હાથ જોડીને બેસી રહેશે કે પુત્રને બચાવવાનો પ્રયત્ન કરશે?, કહે કે કોથળી લઈને કોર્ટમાં બચાવ કરવા દેડશે. ગુન્હ કરનાર તે પિતાની બુદ્ધિ મુજબ સાવચેતીથી જ ગુનો કરે છે. એકાંતને દાવ હંમેશાં દેખાતું નથી. કોર્ટે કહે, કચેરી કહે, કે કાનૂન કહો એ તે કહે છે. શીખવે છે, કે “જૂઠું લખો કે બાલે પણ જુગતું (કાનૂન પૂર્વકનું) લખે અને બેલે, એટલે “ખાલે ડૂચા. દ્વાર મેકળા” જેવી વાત છે. મન, વચન કાયાથી પાપ કરવું નહિ, કરાવવું નહિ, અને અનુમેદવું નહિ, આ સર્વવિરતિ છે. પાપ પ્રત્યે ધિક્કાર એ જમ્બર હથિયાર છે અલબત્ત પુત્રને બચાવનાર એ પિતા પણ તેને બચાવ પાપને સારૂં માનીને તે નથી જ કરતો. પાપ પ્રત્યે ધિક્કાર છે, એ તે જમ્બર હથિયાર છે. ૧૯૧૪ નું યુદ્ધ શરૂ થયું. ૧૯૧૮-૧૯ માં સુલેડુ થઈ તેમાં યદ્યપિ જર્મનીના ટૂકડા ટૂકડા કરી નંખાયા, છતાંય ત્યાંના (જર્મની) ચાન્સેલરે એ જાહેર કર્યું હતું કે-“શત્રુ તરફ ધિકકારની નજર' એ અમારી પ્રજામાં વ્યાપ્ત છે, તે રૂપી અમારું અમોઘ શસ્ત્ર કદાપિ બુદું થવાનું નથી. સત્તર પાપસ્થાનકે કરનાર પણ કર્મને શત્રુ તરીકે ગણના થાય તે કર્મને તેડી શકે છે. ગળથુથીની જેમ પ્રતિકમણમાં (સવાર સાંજના) અઢાર પાપસ્થાનકોનું મરણ રાખ્યું જ છે ને? પાપનું સ્મરણ રહે એટલે પાપ તરફ તિરસ્કાર જાગે છે. તિરસ્કાર ટકે તેજ કઈક દિવસ પાપથી ખસવાનું સાહસ થાય. અંશે પણ પાપને ત્યાગ થઈ શકે. કાયાથી પા૫ અનુમોદવું નહિ એમ પણ થાય. દેશવિરતિને અંગે શાસકારે શ્રાવકોનાં વતેના ફલને જણાવતાં કહ્યું છે કેતે શ્રાવક આઠ ભવમાં આત્મ શુદ્ધિ કરી શકે. કાયા માત્રથી પાપનો ત્યાગ કરે તે વ્યર્થ નથી. બેશક! સર્વ વિરતિની અપેક્ષાએ તે બિન્દુ માત્ર છે. ગૃડુણ્યનું શીલ પણ સર્વ વિરતિની અપેક્ષાએ બિંદુ માત્ર છે. તપશ્ચર્યા શ્રાવક કદાપિ માનો કે મે.ટી કરે, માસખમણ કરે પણ સાવધને ત્યાગ કર્યા સિવાય સંવર વિનાના તપનું મૂલ્ય ઘણું જ અલ્પ છે. ભાવનાને અંગે માને કે ભગવાનની પૂજા કરતાં ઉલ્લાસ આવી ગયે, તે પણ ત્યાં યે “મુથારનું મન બાવળીએ” એ ન્યાયે મન તરંગે કયાં દેડે? “ફલાણુ દાવામાં આજ લાભ થશે વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy