SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૪. પરમેશ્વરને માનવા શા માટે? હવે કોઈ અત્ર પ્રશ્ન કરે છે કેઃ “જે સુખ-દુ:ખ દાતા પરમેશ્વર નથી, તે પછી તેને માનવા શા માટે?” જરા વિચાર કરો તે માનવાનું કારણ સ્વયમેવ સમજાશે ઈશ્વર બનાવનાર નથી, પણ બતાવનાર તે છે ને !; સૂર્ય કાંઈ આપતું નથી, પણ પ્રકાશક તો છે, માટે તે ઉપગી છે. તેમ પુણય પાપ આદિ ત તથા તેનાં કારણે વગેરે બતાવનાર જગતમાં કેવલ પરમેશ્વર જ છે પરમેશ્વર વિના જીવાદિ તો કઈ બતાવી શકતું જ નથી. જે મનુષ્ય લૂગડું ન જોઈ શકે તે તેનો રંગ શી રીતે જોઈ શકવાને, તે રીતે આત્માને ન જોઈ શકનારાઓ, આત્માને વળગતાં તથા તેનાથી વિપરાતાં કર્મોને, આત્માની સાથેના સંબંધને શી રીતિએ જોઈ શકવાના છે?, આથી જ જેઓ આત્માને ન જાણે તેઓ પુણ્યને, પાપને, આશ્રવને, સંવરને, નિર્જરને, બંધને, મોક્ષને, બધ નિર્જરાના કારણોને, કારણભૂત અધ્યવસાયને અને જાણી શકે જ નહિ. કેવલજ્ઞાની જ, સર્વજ્ઞ જ આત્માને, તથા આત્મા આશ્રીને અન્ય તને જાણી શકે છે, બતાવી શકે છે. શ્રી સર્વ કેવલજ્ઞાનથી આખું જગત જાણું, જોયું છે અને પછી ભવ્યાત્માઓને બતાવ્યું છે. જેનેતરે અને જેમાં એ જ ફરક છે કે ઈતર પરમેશ્વરને બનાવનાર તરીકે માને છે, જયારે જેને બતાવનાર તરીકે માને છે. આજના વિજ્ઞાનનો અભ્યાસી પણ સમજી શકે છે કે અમુક જગ્યા પર ધૂળ નાંખવામાં આવે તે તે ધૂળનાં પુલે અમુક વર્ષો પથ્થર કે કેયલા રૂપે દેખાવ દે છે. પુદ્ગલ પરિણમન-જ્ઞાન વિના જેનપણને ટકાવ નથી. એટલા માટે જ પુદ્ગલ પરિણામને અધિકાર આ આઠમા શતકના પ્રથમ ઉદેશામાં છે. દેવે પણ કાયાના કેદી છે. કેટલાંક ઔષધે (ઝેર પણ) સ્વાદે કટુ પણ પરિણામે મીઠાં હોય છે. જ્યારે કેટલાંક સ્વાદે મીઠાં પણ પરિણામે કટુક હોય છે, ઝેરી હોય છે. પુદગલ પરિણામમાં એ નિયમ નથી. એ પરિણામ તે તમામ પરિણામે કટક જ છે. સર્વાર્થસિદ્ધના સર્વ દે પણ કાયાનાં કેદી છે. કાયા એ જીવની કેદ છે. કાયામાં હોય ત્યાં સુધી સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પુદગલ-પરિણામ એ એક જાતનું આશીવિષ છે. દાઢના ઝેરને સંબંધ લઈને વિચારી શકાય કે આશીવિષના સંબંધમાં રહેલાઓને છે યાં, આથી પુદગલ પરિણમનની ઘટના આશીવિષ સાથે બીજા ઉર્દશામાં છે. કાયસ્થિતિ. અનંત પુગલ પરાવર્તની સ્થિતિ વનસ્પતિકાયની છે. અનંત ઉત્સર્પિણીની કાયસ્થિતિ વનસ્પતિકાયની છે. પ્રજ્ઞા ત ર ૩૩) તેમાં ઝંપલાય, આગળ ન વધી શકે તેને અંગે કાયસ્થિતિ જાણવી. પૃથ્વીકાયાદિની પણ કાયસ્થિતિ અસંખ્યાતા કાળની જણાવી, પરંતુ અનન્તી ઉત્સર્પિણી અવસર્પિણીની સ્થિતિ માત્ર વનસ્પતિ કાયની છે. અહીંથી આગળ ન વધાય તે પહેલું અને છેલ્લે સ્ટેશન વનસ્પતિકાયનું સમજવું. આખા જગતને મુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy