SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રીઅમર્ધ-દેશના સંગ્રહ આત્માન સાથે કર્મ સંબંધ અનાદિને છે. અગ્નિનાં પુદગલે બાળનારાં છે. પાણીનાં પગલે ઠારનારાં છે. સાકરનાં તથા મરચાંના પગલે તે પ્રકારે બાળનારાં ઠારનારાં નહિ, પણ ગળ્યાં, તીખાં છે. પુદગલનો તથા વિધ વિધવિધ સ્વભાવ ન જાણે, તે વ્યકિત નિયાયિક, વૈશેષિકના ફંદામા જરૂર ફસાઈ જાય. પૃથ્વી, પાણી, અગ્નિ, મરચાં, વગેરે દરેકમાં પુદ્ગલે પણ જુદા જુદા છે. આત્મા અરૂપી છે એ તે દરેકને કબૂલ છે. આત્મા દેખાતું નથી એટલે અરૂપી છે એ કબૂલાતમાં છૂટકે છે જ કયાં ?, કર્મરૂપી છે એમ માનવા પણ બધા તૈયાર છે. કેટલાકે શંકા કરે છે કે રૂપી કર્મ અરૂપી આત્માને શી રીતે વળગે ?, સમાધાન એ જ છે, સ્પષ્ટ સિદ્ધ છે કે કમને સ્વભાવ છે કે આત્માને વળગે. એક વ્યક્તિને બીજી વ્યકિત પકડી રાખે તે પ્રથમ વ્યક્તિ કેમ ચાલી શકતી નથી ? જીવ તથા કર્મ ક્ષીર નીર ન્યાયે સંમિલિત છે, કર્મ સૂક્ષ્મ છે તેથી ક્ષીર નીર ન્યાયે ભળી-મળી જાય તેમાં નવાઈ શી?, દરેક સમયે જીવ ૭-૮ સાત આઠ પ્રકારનાં કર્મો બાંધે છે. લેવાતે ખેરાક સપ્ત (સાત) ધાતુ પણે પરિણમે છે એ તે સૌ કોઈને અનુભવસિદ્ધ છે ને ? ખેરાકમાંનાં કઈ પગલે લેહીને, તે કઈ હાડકાને તે કઈ માંસને પિષણ આપે છે, પુષ્ટ કરે છે. એક જ સાથે લેવાયેલા નિરાકમાં આવી ભિન્ન ભિન્ન કિયા તે માને છે ને? જઠરાગ્નિના પ્રયોગે મલ સહિત આઠ વિભાગ આપણે માનવા જ પડે છે, ગુમડું થયું, પાયું, હવે જે પ્રમાણમાં ગુમડું તેજ પ્રમાણમાં ખેરાકમાંથી રસી થવાની. હાથે કઢાવેલી શીળી તરફ (શીળીના ચાઠાં તરફ) નજર કરે, જૂએ, કઢાવતી વખતે શીળીનું ચાહું કેટલું હતું અને આજે કેટલું છે? પુદગલેનું પરિ. મન, વૃદ્ધિ હાનિ પ્રત્યક્ષ છે. શરીરમાં જે જગ્યાએ પરમાણુની સ્થિતિમાં નવાં પુદ્ગલે ભળે છે, ભળવાથી તે સ્થિતિમાં વૃદ્ધિ થાય છે. વળી ઘટવાથી હાનિ-ક્ષય, થાય છે તે જ પ્રમાણે આત્મા તથા કર્મનો સંબંધ બુદ્ધિગમ્ય પણ છે, સહજ સિદ્ધ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મો આઠ પ્રકારે છે. જેને જ્ઞાનાવરણીય કર્મને ઉદય હેય તેને જ તે કર્મ બંધાય. દર્શનાવરણીય સર્વથા ક્ષય પામ્યું હોય તે તેને તે ન બંધાય. જે જે કર્મો વળગ્યાં હોય તેમાં તેવા તેવા પ્રકારે કર્મો આવીને પોતપોતાનાં પ્રકારોમાં ભળી મળી જાય છે. આત્મા અનાદિના છે. કર્મ પણ અનાદિ છે. આત્મા તથા કર્મ ઉભય અનાદિના છે. આત્મા અને કર્મને સંબંધ અનાદિને છે. અનાદિકાલથી આ જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મથી અવરચેલે છે. વર્તમાન યુગનું વિજ્ઞાન (ન્યુ સાયન્સ) પણ પ્રતિપાદન કરે છે, અને કહે છે કે શરીરના બધા પુત્ર સાત વર્ષે બદલાઈ જાય છે. એટલે પુત્રો નવાં આવે, જૂનાં જાય એમ ચાલુ છે.” કર્મોમાં પણ એ જ નિયમ સમજી લે. જૂનાં કર્મો છૂટતાં જાય અને નવાં કર્મો વળગતાં જાય છે. એ જ રીતિએ આશ્રવ, સંવર, નિર્જરા તત્વે માની શકાશે. નવે તો પુલ પરિણમનની માન્યતાના આધારે જ માની શકાશે. પુદ્ગલ-પરિણમનના મંતવ્યમાં જેનત્વની જડ આપણે પુનઃ પુનઃ વિચારી ગયા છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy