SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના સારાંશ. [૨૨] પળ મળે તે કલેશનું દુઃખ હીસાબમાં નથી રહેતું, પણ ફળ ન મળે તે સેંકડો ગુણી અસર મગજ પર થાય છે. હવે માબાપે ભરમાવવા કહેલી કલ્પનાની વાત મેટું સ્વરૂપ પકડે. ખરેખર માતા પિતાજી કહેતા હતા, તે વાત સાચી તે નહીં હૈય? ન જવા દેવા માટે કહેલા વાકયેએ અહીં ઘચા ઘા. કે ચિન્તામણી વતુ શું જગતમાં હશેજ નહિં? ભાગ્યશાળીને કાંટે વાગે તે નીકળી જાય, અને નિર્ભાગીને કાંઠે વાગે તો પાકે કે અદર સડો પેદા થાય, યાવત્ જીદગીને પણ અંત લાવનાર થાય. અહીં જયદેવ ભાગ્યશાળી છે. તેને પિતાજીએ કહેલા વાકયે અસર કરે છે, પણ તરત નીકળી જાય છે. ભલે મને તે રત્ન ન મળ્યું પણ વસ્તુ તો છેજ. ચિન્તામણિનું લક્ષણ રત્નશાસ્ત્રમાં છે. શાસ્ત્રકારોએ કહેલી વાત ખોટી ન હોય, આમ કાટે નીકળી ગયે ભાગ્યશાળીને આપત્તિકાળ લાંબે વખત ન રહે. નીચે પડેલ દડે જેટલા રથી પડે છે, તેથી ડબલ ઉછળે છે. તેમાં આથડે મનુષ્ય જબરજસ્ત ઉદ્યમ કરે. જે રૂશીઆ જાપાન સાથે લડવામાં છ મહીના ન કર્યું, તે હારીને તયાર થયું, ત્યારે જેમની સાથે ચાર વરસ ટકકર લીધી, અને જર્મનીને હરાવ્યું. પહેલવહેલે ઉદ્યમ કરતાં અથડાય ત્યાર પછી તે ચીજ માટે ઉદ્યમ વિચિત્ર જ હોય છે. હવે જયદેવ અત્યંત વેગથી ચારે બાજુ મુસાફરી કરવા લાગ્યા ઘણી ઘણી મણિની ખાણમાં પ્રવાસ કરે છે. પૃચ્છા કરે છે એમ આગળ આગળ મુસાફરી લંબાવેજ રાખે છે. સજનને સમાગમ અને ચિન્તામણિના દર્શન. એમ કરતાં કંઈક વૃદ્ધ પુરૂષને સમાગમ થયો. બધી હકીકત જાણાવી એટલે એ વૃદ્ધ જયદેવને કહ્યું અહીં નજીકમાં મણિવતી નામની ખાણ છે. પરંપરાથી એમ કહેવાય છે કે ત્યાં ચિન્તામણિ છે, પણ જે ભાગ્યશાળી હોય તેજ ત્યાં ચિન્તામણિ પામે. જ્યારે આ વાત સાંભળી, ત્યારે જેમ નાનું બાળક ત્રીજે માળે હોય, અને નીચેથી સાંકળ ખખડે કે મા આવી લાગે, કે માને ઝંખતે હોય છે, ત્યારે અવાજ માત્રથી સાત્વન થાય. તેમ આ વૃદ્ધનું વાક્ય સાંભળી જયદેવને આનંદનો પાર ન રહ્યો. તે ખાણમાં ગયે, ત્યાં ઘણું રત્ન દેખે છે. સત ખેળ કરવાની ચાલુ રાખી. એટલામાં એક રબારીને ભેટો થયે. તેના હાથમાં એક ગેળ પત્થર છે. તે પત્થર જયદેવની નજરે પડે. તપાસ કરી તે શાસ્ત્રમાં ચિન્તામણિ રત્નનું લક્ષણ જેવું કહેલું છે તેવાજ લક્ષણ વાળો આ પત્થર હતે. રબારીને તે તે પત્થરજ હતા. હવે રબારીના હાથમાં તે રત્ન છે, પિતે તે કેવી રીતે માગે અગર કઈ રીતે લે? નિતિનું ઉલ્લંઘન કરવું નથી. ચિન્તામણિ માટે પોતે ઘેરથી બાપથી આડે થઈને નીકળે છે. પિતે તેને અથ છે. તે પારકા પાસે છે. આ અથ પિતાની ઈષ્ટ વસ્તુ રબારી જેવાના પારકા હાથમાં દેખે છે, છતાં નિતિનું આલંબન રાખી, હવે શું કરે છે તે જોઈએ. પથર-ચિત્તામણિને ફરક જયદેવ રત્ન માટે રખડે છે છતાં ન મળ્યું અને પશુપાળને સહજે મળી ગયું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy