SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ [૨]. શ્રીઅમ-દેશના-સંગ્રહ બેમાં ફરક જરૂર છે, અને જે તે નહિ પણ મહાન ફરક છે. એ ફરકને ગમાર જાણ શકતા નથી, ચોકસી જ તે ફરકને જાણી શકે છે. જેના દર્શનના મંગલાચરણમાં જૈનત્વ કેવી રીતિએ રહ્યું છે તે તો સમજનારાજ સમજી શકે પિતાની જાતના ખ્યાલ વિના તમને ઈષ્ટ સિદ્ધિ થઈ શકશે નહિ. મંગલાચરણ દેવનું હેય. દેવના સ્વરૂપ અને મન્તવ્યને અંગે, જેમાં અને ઈતરમાં મહાન ફરક છે. બીજાઓ પિતાના દેવને (ઈશ્વરને) પૃથ્વી, પાણી આદિ યાવત્ મનુષ્યને પણ બનાવનાર, કહેને કે પદાર્થ તથા પ્રાણી માત્રના સૃષ્ટા તેમજ સુખી દુઃખી કરનાર તરીકે માને છે દુનિયાદારીની મહાલથી લેપાયેલને ઈશ્વર તરીકે માનવા જેને હરગીજ (કેઈપણ રીતે) તૈયાર નથી. દુનિયાના પ્રાણુઓ દુન્યવી મોહજાળમાં ફસાયેલા છે જ, તેમાંજ રાચી–માચી રહ્યા છે, સુખી-દુઃખી થઈ રહ્યા છે, દરેક સંસારી જીવનું ભવ ભ્રમણ ચાલું છે. તેઓને તેમાંથી ઉદ્ધાર કરનાર સહાયક તરીકે જેને ઈશ્વરને દેવ માને છે. ઉદ્ધારની પ્રવૃત્તિ તે સ્વયમ કરવાની છે. ઈશ્વરને ઈશ્વરપણાના ગુણને કારણે જ જૈને ઈશ્વર તરીકે માને છે. હવે ગુણેમાં મુખ્ય ગુણ કયે? આંખ જૂએ છે બધું પણ કંઈ કરી શકતી નથી. કચરાની ચપટી કે સુવર્ણ સેનામહોર આદિ તે જોઈ શકે છે પણ તે ધૂળને દૂર કરવાનું કે સુવર્ણને ઉપાડી લેવાનું સામાÁ તેનામાં નથી. ઈનિષ્ટનું જ્ઞાન જરૂર આંખ દ્વારા છે કે જેથી ઈષ્ટને પ્રાપ્ત કરી શકાય, અનિષ્ટને ખસેડી શકાય. ઈષ્ટ વસ્તુ લેવા તથા અનિષ્ટ વસ્તુ ખસેડવાનું કામ હાથ કે પગનું છે, એ વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પગથી જઈ શકાય અને પગથી કે હાથથી ખસેડી શકાય, લઈ શકાય પરંતુ ઈટાનિખનું જ્ઞાન–ભાન કરાવનાર આંખ જ છે. જીભનું કામ રાંધેલું ગળી જવાનું છે, પરંતુ રાંધનારે રાંધ્યું હોય તે ! રાંધવાનું કામ હાથનું છે, જીભનું નથી. આંખનું કામ ઈષ્ટ તથા અનિષ્ટને દેખાડવાનું છે. આત્માની સ્વહિતમાં પ્રવૃત્તિ તથા અતિથી નિવૃત્તિ થાય કયારે ?, હિત-અહિતનું ભાન જ્ઞાનદ્વારા થાય ત્યારે જ, હિતમાં પ્રવૃત્તિ તથા અતિથી નિવૃત્તિ થઈ શકે. હિતાહિત નિશ્ચિત-કરાવનાર કેવલ જ્ઞાન જ છે. આત્મામાં અનંતા ગુણે છે તથાપિ જ્ઞાન ગુણ મુખ્ય કહ્ય, શાથી? એ જ કારણ છે કે તેનાથી જ હિતાહિતની માહિતી મળે છે. ઇંદ્ર મહારાજા જ્ઞાનીના સેવક છાએ બને છે. કદાચ કઈ એમ ધારે, અને કહે કે આખે નહિ દેખતાં છતાં અંધ મનુષ્ય પણ સાવરણીથી કચરો તે કાઢી શકે છે ને ?, વાત ખરી, પણ આંધળાની સાવરણીથી વાળવાની ક્રિયામાં જેમ કચરો નીકળી જાય તેમ સાથે સાથે સોનું, મેતી, હીરા વગેરે પડ્યા હોય તે તે પણ નીકળીને ચાલ્યું જ જાય છે. કેમકે નેત્રે તે બધેજ છે ને. શાહુકારની દુકાનમાં કચરો કાઢનાર પણ સમજુ, વિવેકી રખાય. અજ્ઞાનીની ક્રિયા આત્માને ઉદય કરી શકે નહિ. આંધળાની સાવરણની ક્રિયાની માફક અજ્ઞાનીની ક્રિયા અહિતનું તથા હિતનું બનેનું નિવારણ કરે. સમ્યકત્વ, સમ્યગજ્ઞાન ન થાય ત્યાં સુધી વીતરાગ જેવું, કેવલી જેવું ચારિત્ર અનંતી વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy