SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ દાના-૪૨. [૧૧] પુદ્ગલેનું પરસ્પર પરિણામન્તર શાથી?, તેજસ શરીરથી. શ્રીગણધર મહારાજા પંચમાંગ-શ્રીભગવતીજીના અષ્ટમ શતકના પ્રથમ ઉદેશામાંને પુદગલ-પરિમ અધિકાર જણાવતાં સંસારી જીવનમાં એકેન્દ્રિયાદિ જાતિના, પંચેન્દ્રિયમાં નારકી આદિ ગતિના જે ભેદો પાડે છે, તે કર્મ પુદગલની વિચિત્રતાને આભારી છે. જે તેમ ન હેય તો જાતિ-કાય વગેરેનો ભેદ રહેત જ નહિ. જાતિ એટલે વૈશ્ય, શુદ્ર એમ ન સમજતા એકેન્દ્રિયાદિ : તિ, તથા પૃથ્વીકાયાદિ કાય; એ જાતિ તથા કાયનો ભેદ થશે. તે કર્મ પુદ્રગલની વિચિત્રતા ન હતા તે વાત જ નડુિ. આ બધા ભેદોની વિચારણામાં આગળ વધતાં પર્યાય અપર્યાપ્તાની વિચારણા ચાલે છે. જે જીવેમાં આહાર પરિસમાવવાની, શરીર બનાવવાની, ઈન્દ્રિય બનાવવાની વગેરે પર્યામિઓ મેળવવાની પૂરી કરવાની તાકાત આવી ગઈ હોય તે પર્યાપ્ત. પર્યાતિ મેળવવાની અવસ્થાને પર્યાપ્તાવસ્થા કહે છે. જુદી જુદી છવાજેનિન અંગે જુદી જુદી કાયાઓ રહેલી છે. પૃથ્વીકાયથી વનસ્પતિકાયમાં સૂક્ષ્મ બાદરમાં પર્યાપ્તા, અ પર્યાપ્તા એ બે ભેદ છે. વિકસેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્ત સામાન્યરીતે ઔદારિક-કાયાવાળા દેખાય છે. પૃથ્વીના વનસ્પતિ પણે, વાયુના પાણી પણ, અને પાણીના વાયુ પણે પરિણમે છે. પરસ્પર પરિણમનમાં એક જાતની વર્ગણ માનવી પડે છે. પૃથ્વી પાણી થાય, અને વાયુપાણું થાય. વિકલેન્દ્રિયના પુદગલે મનુષ્યના જનાવરના શરીર પણે પરિણમે છે. જે કાયનું પૃથ્વીનું શરીર છે, તે જ આપણું શરીર છે. આપણું શરીર કાલાંતરે ભલે રાખ થાય, પછી માટીપણે પરિણમે પણ છે, તે બન્ને એક જાત હોય એ વાત નવી નથી. છએકાયનાં પુદગલે આપણું શરીરપણે પરિણમે છે અને જાણે આપણાં જ ખુલે છે એ કાયપણે પરિણમે છે. આ બધાની કઈ એક જાત હોવી જોઈએ જેથી “અ”નું ‘આ’ થાય અને આ’નું પણ “આ થાય. માટી કે મીઠાંના પગલે મામા નાંખ્યા, પાણી કે ખેરાકનાં પગલે લીધાં, એટલે શરીર કેમ બની ગયું ? પાક કરવાની (પકવવાની) તાકાત કેય, તે જ પરિણામાન્તર કરી શકે. અગ્નિમાં પકાવ્યા વિના માટીને ઘડો બની શકે?, ના. “પાણી લાગ્યું હવા લાગી' એમ કહેવામાં આવે છે ને! પવવાની તાકાત વિના મૂલ પદાર્થનું પરિપકવણું થતું નથી. જે પકવવાની તાકાત ન હોય તો શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી પણ માટીપણે જ રહે. સંગ્રહણને વ્યાધિ જેને થયું હોય તે ખેરાક લે છે, પણ પચાવી શકતા નથી. કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેની જડરમાં અગ્નિનું જોર હોતું નથી. તે જ રીતે પકવવાની તાકાત હોય તે જ શરીરમાં ગયેલ માઠું, અનાજ, પાણી વગેરે પરિણામાન્તર પામે, અને સાત ધાતુરૂપે પરિણમે છે. મુદ્દો એ છે કે આ શાથી થાય છે?, એવી કોઈ પાક ક્રિયા છે ; આવું પરિણામાન્તર કરનાર તેજસ્ શરીર છે. લીધેલા ખેરાકને પકવ-દશામાં લાવવું, પરિણામાન્તર કરવું તે કામ તેજસ શરીરનું છે. ઝાડનાં ડાળાં મૂળાડીયાં પણ પૃથ્વીકાય રૂપ બની જાય છે ને !, માટે પુદ્ગલેનું પરિણામાન્તર કરનાર તેજસ્ શરીર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy