SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ દેવના-૪૦. [૧૬] ત્યારે “ગર્ભજીને બદલે લાંબી માત્રાવાળે ગર્ભવ્યુત્કાન્તિ” શબ્દ કેમ રાખે? અહિં વિચારવું જોઈએ. ગર્ભમાં માત્ર પર્યાપ્તિ થઈ જાય, એટલે પિતાની મેળે પિષણ મેળવે તેમ નથી. અમુક મુદત સુધી ગર્ભમાં પિષણ જોઈએ. શરીર સંપૂર્ણ થયા પછી પોષણની જરૂર નથી. ગર્ભમાં પરિપકવ દશા જોઈએ. ગર્ભ રહ્યો તે દિવસે શરીર બાંધ્યું, અને અંતમુહર્તામાં બધી પર્યાતિ તૈયાર થઈ ગઈ. કેટલાકે માને છે કે અમુક મહિનાઓ સુધી જીવ ન આવે તે પછી કેવી રીતે પુગલે શરીરપણે પરિણમે છે, અથવા પુદગલે બહાર નીકળી જાય નહિ તે સડવાપાનું થાય. વાગ્યા ઉપર લેહી બહાર ન નીકળે તે પાકે છે ને! હવે જે જીવ જ ન હોય તે શરીર પરિણાવશે કેણ? શરીરને ગદ્દે કર્યો કેણે? પ્રથમ સમયે જ જીવની ઉત્પત્તિ છે. એના વિના શરીરનું બંધારણ જ નથી. કેટલાક જીવનું આવવું બીજે, ત્રીજે, ચોથે માસે માને છે, પણ તેમ નથી. ગર્ભોત્પત્તિ છત્પત્તિ અને સાથે જ ઉત્પત્તિમાં જેમ માન્યું, તેમ મર્યા પછી પણ શરીરમાં જીવનું શૂન્યપણું માન્યું છે. સંસારી જીવ દરેક ક્ષણે ૭-૮ કર્મ બાંધે છે. પ્રથમનાં બાંધેલાં અત્યારે ઉદયમાં આવે છે. ગર્ભમાં ઉત્પન્ન થયા પછી બે ઘડી થઈ એટલે તે જીવ છ પર્યામિવાળે થઈ ગયે, છતાં એટલાથી એનું જીવન નથી. ગર્ભમાં અમુક મહિના સુધી પિષણ જોઈએ, અને પિષણ મળે તે જ તે નિરાબાધ રહી શકે. મનુષ્ય માટે જ એવો નિયમ એમ નહિ; જનાવર માટે પણ તે જ નિયમ છે. “ગર્ભમાં આખી તયારી' એ હેતુ જણાવવા “ગર્ભવ્યુત્ક્રાંતિક' શબ્દ જણાવ્યું છે. પોપણમાં ખામી રહેવાથી કસુવાવડ થાય છે. ગર્ભવ્યુત્ક્રાંતિકમાં પણ પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા બે ભેદ છે. જેઓ શકિત મેળવતા હોય તે અપર્યાપ્તા, અને મેળવી લીધી હોય તે પર્યાપ્તા. કાગળ, કલમ, શાહી તે એનાં એ જ, પણ વાંકા અક્ષર કાઢનાર વાંકા જ કાઢશે. સીધા અક્ષર કાઢનાર સીધા કાઢશે; તે જ રીતે અહિં પણ અપર્યાપ્તાવસ્થામાં અપર્યાપ્તા, પર્યાપ્તાવસ્થામાં પર્યાપ્ત સમજવા, જીવ તે એ જ. આગળના (ભવિષ્યના) ભવનું આયુષ્ય બાંધ્યા વિના કેઈ પણ જીવ મરે નહિ. આગલા ભવના આમુલ્ય બંધન માટે આહાર, શરીર, ઈન્દ્રિય એ ત્રણની જરૂર છે. આટલી હદે પર્યાપ્ત થાય તે જ ભાવિગતિ માટે અહિંથી જઈ શકે. અપર્યાપ્તાવસ્થામાં નરક કે સ્વર્ગનું આયુષ્ય બંધાતું નથી. ગર્ભમાં રહ્યો થકે પર્યાપ્યો, દેવતાનું આયુષ્ય બાંધે તે દેવતામાં ઉપજે. ધર્મ લાગણું પ્રધાન માતાના ગર્ભમાંને જીવ, પૂર્વ ભવના સંસ્કારથી, આચાર્યને ઉપદેશ પણ સમજી શકે છે. તે મરી જાય તે દેવલોક જાય. ગર્ભમાં લડાઈની વાત સાંભળે તે વકીય શરીર કરી અપર્યાપ્તાવસ્થામાં આયુષ્ય બાંધે તે દેવલોકનું કે નારકીનું આયુષ્ય ન બાંધે. આહારમાંથી જે રસ કાનમાં પડે તે કાનરૂપે પરિણમે, આંખમાં પડે તે આંખરૂપે પરિણમે, નાસિકામાં પડે તે નાસિકા રૂપે પરિણમે તે જ રીતિએ પર્યાપ્તા તથા અપર્યાપ્ત એ ભેદોમાં પુદગલ-પરિણમન સમજી લેવું. દેવતાના ભેદોને અગેનો અધિકાર અગ્રે વર્તમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy