SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ધાના-૩૮.. [૧૫] યોગ્ય છે. સૂક્ષ્મ અને બાદર એ ભેદ પુગલ પરિણામની વિચિત્રતાને લીધે માનવા પડયા. સ્થાવર દેખાવા યોગ્ય છતાં બે પ્રકાર માનવા પડે. પૃથ્વીકાય તથા અપકાય ચક્ષુથી દેખાય છે, પણ વાયુકાય બાદર હોય તે દેખી શકાતો નથી. પ્રભા, તેજ માત્ર ચક્ષુથી ગ્રાહ્ય છે, સ્પર્શથી ન જણાય. દેખવા લાયકના બે વિભાગ, નહિં દેખવા લાયકના સંયોગથી ન દેખવા લાયક ના બન્યા. અને દેખવા લાયકના સંગથી દેખવા લાયક ના બન્યા. હાઈડ્રોજન અને એકસીજનની સ્થિતિ વિચારો. વાયુરૂપે તે પાણી રૂપે અને પાણી રૂપે તે વાયુરૂપે થયું ને! અહિં કોઈ તર્ક કરે કેઃ “જ્યારે વાયુ એજ પાણી, પણ એજ વાયુ તો એ ભેદ જૂદા શા માટે માન છે? સ્થાવરના ચાર ભેદ માનોને! બાલક જુવાન થાય તેથી શું જુવાનને જીવ જૂદો માન? આપણે તે અંગે ઉત્પત્તિ માનીએ છીએ. કેટલીક વખત વાવવાથી પણ ઘાસ થાય, અને વગર વાગ્યે પણ ઘાસ થાય. માટે ઘાસ માન્યા વિના છૂટકે નથી. વાયુમાંથી પાણી થાય એટલે વાયુના છ મરી જાય છે અને પાણીના જીવ ઉપજે છે. જૈન દર્શનમાં સંયોગથી ઉત્પત્તિ માનેલ છે માટીમાં ઉત્પન્ન થયેલા અનાજ દ્વારા આ મનુષ્યનું શરીર પણ વધયું ને? બાળીને રાખ થયા પછી પાછી માટી! ક્ષણિક સાંગિક ઉત્પત્તિ તથા નાશ માનવામાં જેનેને વાંધો નથી. આપણે આમ આધુનિક વિજ્ઞાનને અંગે કહીએ છીએ તેમ નથી, પરંતુ શ્રી સૂયગડાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કે અપૂકાય વાયુ ઉપાદાન કારણ તથા વાયુ નિમિત્ત કારણ છે. લુગડાનું ઉપાદાન કારણું સૂતર, ઘડાનું ઉપાદાન કારણુ માટી. ઘણીવાર ઉપાદાન તથા નિમિત્ત કારણ જુદાં હોય છે, તેમ અહીં નથી. પાણીમાં ઉપાદાન તથા નિમિત્ત કારણ બન્નેના કારણભૂત વાયુજ છે. બાદર પૃથ્વીકાય એટલે એક આંગળી જેટલી જગ્યામાં અસંખ્યાત એકઠા થાય તેજ દેખાય, પણ ગમે તેટલે ઘોંઘાટ જમ્બર હોય, તે પણ શબ્દ નજરથી નથી દેખાતે. જેમ એક શબ્દનાં તેમ ઘણાં શબ્દનાં પગલે પણ જોઈ શકાતાં નથી. તે જ રીતે સૂક્ષ્મનું શરીર એકનું હોય કે અનેક સૂમેનાં શારીરે તે પણ જોઈ શકાય નહિ. સ્થૂલ પૃથ્વીકાયના પુદગલની જેમ બાદર પૃથ્વીકાયના પુદ્ગલેનું પરિણમન છે. આખા જગમાં વ્યાપક માત્ર પાંચ સ્થાવર જ છે. શક્તિ મેળવવાને સમય તે અપર્યાપ્તાપણું, અને શકિત મેળવાયા પછી પર્યાપ્તા પણું. સૂક્ષ્મ બાદર, પર્યાપ્ત તથા અપર્યાપ્તા એવા ચાર મે પાંચે સ્થાવરમાં એટલે એકેન્દ્રિયમાં છે. બેઈન્દ્રિયમાં સૂમ કે બાદર એવા ભેદ નથી. બેઈન્દ્રિય કયારે કહેવાય?, રસનાઈન્દ્રિય પ્રાપ્ત થાય ત્યારે બેઈન્દ્રિય કહેવાય. રસના ઈન્દ્રિયવાળ રસને અનુભવ કરે છે સૂમને રસ ગમ્ય ન હોય. આથી રસના ઈદ્રિય સ્થલમાં જ માની શકાય. તેમાં (બેઈન્દ્રિયમાં) સૂક્ષ્મ ભેદ રહેતે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy