SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ છે દેશના ૨૪. મિથ્યાત્વીની પણ ધર્મકરણ નકામી જતી નથી. एवं एएणं अभिलावेणं अट्टविहा वाणमंतरा पिसासा जाव गंधब्बा । નરક જેવી ગતિ માન્યા વિના ચાલે તેમ નથી. જગત્ નું ભલું થાય તેવી ભદ્ર-ભાવનાના પ્રયોગથી સિદ્ધ તીર્થકરપાણું પ્રાપ્ત થવાથી શ્રીતીર્થકરદેવ-સ્થાપિત-શાસન ચાલુ રાખવા શ્રીગણધરમહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશાને અધિકાર ચાલુ છે. આ શતકના દશ ઉદ્દેશ છે, તેમાં પ્રથમ ઉદ્દેશો ચાલે છે, જેમાં પુદ્ગલ પરિણામને અધિકાર છે. પુદ્ગલ પરિણમને અંગેના વિવેચનમાં દેવતાના ભેદને અધિકાર ચાલુ છે. જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ, અને જેવું પુદ્ગલનું ગ્રહણ તેવું જ દેહનુ શરીરનું અવધારણું ઉત્કૃષ્ટ પાપના ફલને ભેગવવાનું સ્થાન નરક છે, તેમજ ઉત્કૃષ્ટ પુણ્યફલને ભેગવવાનું સ્થાન દેવલેક છે. નરકમાં સુધા, તૃષા, ગરમી, ઠંડી અસહ્ય છે, અને તે ત્રાહ્ય કિરાવનાર છે. મનુષ્ય તથા તિર્યએ પણ ગરમી કે ઠંડી અમુક પ્રમાણમાં સહન કરે છે, પણ હદ બહાર થાય છે, ત્યારે કઈ હાલત થાય છે સહન કર્યા વિના તે છુટકેજ કયાં છે?, એ વાત જૂદી, મુદ્દો એ છે કે નરકમાં વેદનાની પરાકાષ્ઠા છે. જીની કાયમ હત્યા કરનારાઓ એ પાપનાં ફલ ક્યાં ભેગવે?. નરકમાં. નરકગતિ આ રીતે બુદ્ધિગમ્ય પણ છે. ત્યાં શરીર પણ એવું મળે છે કે બધી વેદના સહન કરવા છતાં, છેદન ભેદન છતાં, કાપે-મારે-બાળ-વહેરે છતાં એ શરીર નાશ થાય નહિ. તાત્પર્ય એ છે કે જીવ છુટવા માંગે, મરણ ઈચછે, તે પણ છૂટી શકે જ નહિ; અને મોત પણ મલે નહિ. એટલે નિકાચિત આયુષ્ય તૂટે જ નહિ. જેને “નરક શબ્દથી વાધે હોય તે નામ ગમે તે આપે પણ એવી ગતિ છે, એ માન્યા વિના ચાલે તેમ નથી. સમ્યકત્વના અભાવે દેવગતિ રેકાતી નથી. એજ રીતે દેવલેક પણ ઉત્કૃષ્ટ પુણ્યના પરિણામ રૂપ છે. આપણે એ જોઈ ગયા કે તરતમતાનુસાર પૂલમાં પણ તરતમતા છે. નિર્ધનને મલેલું નિદાન તેને ગાંડે બનાવી દે છે, માટે દેવકની ઋદ્ધિ જીરવાવાના સામર્થ્યવાળો દેહ વગેરે જ્યાં હોય એવું સ્થાન તે જ દેવક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy