SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ** ભગવાન મહાવીરસ્વામીનું ૭ દીવ્ય-જીવન દિવસે સાધકને અનંતાનુબંધી તરફ લઈ જવામાં સમર્થ બનશે અને સાધક અધઃપતનને પામશે. મરીચિની પણ એ જ દશા થઈ છે. સેળમા ભવમાં ક્રોધને વશીભૂત થઈને વિશ્વભુતિ મુનિરાજ પિતાની સાધનાથી પતિત થઈ ગયા. માનસિક જીવનમાં જ્યારે ક્રોધની માત્રા રહે છે ત્યારે કેઈપણ સાધક આત્મકલ્યાણ કરી શક્તો નથી, કારણ કે આત્મ-કલ્યાણની સાથે બાહ્ય સાધકતા કરતાં ભાવ સાધકતાની ખાસ આવશ્યકતા રહે છે. બાવીસમા ભવમાં વિમળ મુનિરાજની શક્તિ ખૂબ જ આગળ વધી ગઈ હતી, છતાં પણ આત્મજીવનમાં હજી સુધી તે શક્તિઓ આવી શકી ન હતી, જેથી સંપૂર્ણ કર્મ–લેશેને નાશ થ સુલભ થઈ શકે. તથાપિ અજીર્ણને રેગી જેમ જેમ ડું થોડું પાણી પી જાય છે, તેમ તેમ ઉદરગત મળ આંતરડામાંથી છૂટા પડવાની તૈયારી કરવા લાગે છે, તેવી જ રીતે શુદ્ધ-સાત્વિક તપશ્ચર્યા, નિર્લોભ જીવન, કર્મ–કલેશોના વાતાવરણથી સર્વથા દૂર, બ્રહ્મનિષ્ઠ સાધક પણ પિતાનાં કર્મોના ભારથી પ્રતિક્ષણ હલકે થતું જાય છે. વિમળ મુનિ પણ આવી સીમા પ્રાપ્ત કરી શક્યા છે જેથી આત્મિક પતન સર્વથા અસંભવિત થઈ ગયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034766
Book TitleBhagwan Mahavirswaminu Divya Jivan
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1978
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy