SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ અને વરાહમિહિરનું નામ આવે છે. તે તે ક્યા વરરુચિ અને વરાહમિહિર સમજવા કેટલાક વરરુચિ અને વરાહમિહિરનું નામ સાંભળીને નન્દરાજા અને શકટાળ મન્ત્રીના સમયમાં થયેલ સમજે છે. પરંતુ તેથી આ ભિન્ન સમજવા. અવંતિપતિ મહારાજા વિક્રમાદિત્યનું નામ ભારતવર્ષમાં વસનાર એ કહ્યું છે કે જેને નહિ સાંભળ્યું હોય? તેમના નામથી સંવત ચાલ્યાને આજે બે હજાર વર્ષ થવા આવ્યા, છતાં તેમની નિર્મળ કીર્તિ સર્વત્ર વ્યાપીને રહેલ છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીનું ઓજસપૂર્ણ જીવન અને અપૂર્વ પાંડિત્યના ફલ સ્વરૂપે તેમના રચેલા અનેક ગ્રંથરતને આજે પણ મોજુદ છે. તેમના બનાવેલા ગ્રંથ વાંચતાં જ આપણને તેઓશ્રીની અપૂર્વ વિદ્વતાને ખ્યાલ આવે છે. વળી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી મહારાજ તથા ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ જેવા પણ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજીને મહાકવિ તરીકે વર્ણવેલ છે જેમકે – કાવ્ય સુધારસ મધુર અર્થે ભર્યા, ધમ હતુ કરે જેહ, સિદ્ધસેન પર રાજા રીઝવે, અમથર કવિ તેહ. ” એમને મહારાજા વિક્રમાદિત્યને પ્રતિષ્ઠા અને સાપુત્ર બિરૂદની સાર્થકતા કરી. એ સર્વજ્ઞપુત્ર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીને ભૂરિભરિ વંદના હે. એ બને ઉત્તમ પુરૂનાં જીવનવૃતાન્ત દષ્ટિ સન્મુખ રાખી શાસનની પ્રભાવના કરવા સાથે સો આત્મસાધના કરે. એજ શુભેચ્છા. લી. મુનિ નિરંજન વિજય. વિ. સં. ૧૯ શ્રાવણ સુદ ૧ તપાગચછીય શ્રીવિજયનેમિસૂરીશ્વરજી જ્ઞાનશાળા. મુ. મધુમતિ-મહુવા, (કાઠીયાવાડ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy