SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતપૂર્વક જીર્ણોદ્ધાર કરાવ્યા. અનુક્રમે શ્રીગીરનાર-રેવતાચલ જઈને વ ધપૂર્વક સ્નાત્ર પૂજા તથા ધ્વજાઆરેપન વિગેરેથી હર્ષવદને સુરીશ્વરજીના હસ્તકમલથી તીર્થમાલ પરિધાન કરી. બને મહાનતીર્થની યાત્રા કરી અનુક્રમે સંઘ પાછો સુખપૂર્વક અવંતિ–ઉજ્જયિની આવી પહોંચે. બાદ સિદ્ધસેનદિવાકર સૂરીશ્વરજી પાસે હંમેશાં ધર્મકથા સાંભળીને સાહસિક શિરેમણિ મહારાજા વિક્રમાદિત્ય ન્યાય નીતિપૂર્વક રાજ્ય પાલન કરી જન્મ સફલ કર્યો. ઉપસંહાર-મહારાજા વિક્રમાદિત્ય મહા પરાક્રમી, વદ્યાપ્રેમી અને ગુણવાનમાં શિરોમણિ હતા. પિતાના સમયમાં માનવ કલ્યાણનાં અનેકાનેક કાર્યો કરી જગતમાં કીર્તિ મેળવેલ અને અનેક દીન ખી મનુષ્યને મદદ કરી “પર દુઃખભંજન'નું બિરુદ સાર્થક કર્યું. ઘણા પંડિતેને આશ્રય આપી નવ નરરત્નથી રાજસભાને સુશોભિત કરી. કેઈ એક પંડિતે વિક્રમાદિત્યની સભાનું વર્ણન કરતાં કહ્યું છે કે धन्वन्तरिक्षपणकामरसिंह शंकु वेतालभट्ट घटकर्पर कालिदासाख्योवराहमिहिरो नृपते सभायां रत्नानिवै वररुचिर्नव વિકલવાય . • ૧ ધન્વન્તરિ, રક્ષપણુક-જૈન સાધૂન શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી મહારાજ), ૩ અમરસિંહ, ૪ શંકુ પંડિત, ૫ વૈતાળ ભટ્ટ, ૬ ઘટકર્પર, ૭ પંડિત કાલિદાસ, અને વરાહમિહિર, તથા ૯ વરરુચિ એ નવ નરરત્ન મહારાજા વિક્રમાદિત્યની સભાના ગણાય છે. અહિં સહજ એક પ્રશ્ન થશે કે વરરુચિ * શબ્દાર્થ સિંધુ વિગેરે કેષમાં કાપા શબ્દને અર્થ ન સાધુ કરેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy