SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટિએ પોતાને અધુરે જ ભાસે છે" આ ઊક્તી–અનુસાર જોઇએ તે આ લધુ લેખમાં ઘણું ઘણું ઉમેરવા જેવું મને લાગે છે, છતાં તે પ્રમાણે આ મૂળ લેખમાં વિશેષ કાંઈ જ ફેરફાર કર્યા સિવાય સહજ સુધારી આ નાની બુકરૂપે વાચકવર્ગ આગળ ધરવામાં આવ્યો છે. મૂળ સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનાં ચરિત્રમાં ઘણા ગર્ભિત અર્થે નિકળે છે. તે ભાષાન્તર કે અનુવાદમાં કવિએ ઉત્તરી શકે જ નહિ. પરતુ અલ્પ અભ્યાસિ બાળજી માટે તે રૂચીકર જીવન વૃતાન્ત ઉપયોગી છે. તે સદાયે યાદ રાખવું જરૂરી છે. અહિં એક સહજ પ્રશ્ન થશે કે બાળક કોને કહેવા? એને જવાબ એ હોઈ શકે કે ઉંમરે ભલેને મેટા હેય પણ સુશાસ્ત્રીય જ્ઞાનને જેમને અભાવ વર્તે છે. તેને વાસ્તવિક રીતે બાળ કહેવાય! આ લેખમાં જે કે પ્રસંગેપાત બે ચાર સ્થલેએ સહજ પુષ્ટિકારક અને રેચકતા માટે વિવેચનાત્મક વર્ણન કરેલ છે, પણ મૂળવસ્તુને ક્ષતિ ન પહોંચે તેના માટે ખાસ કાળજી રખાઈ છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીજીના નિર્વાણ બાદ ૪૭૦ વર્ષે વિક્રમને સંવત ચાલુ કર્યો છે. એ બીના પ્રમાણુક ફ્રેન ના પરિશીલન અને અભ્યાસથી સારી રીતે જાણી શકાય છે. પરદુઃખભંજન મહારાજા વિક્રમાદિત્ય ચુસ્ત જેન હતા. એ વસ્તુને જણાવનારા સેંકડો વર્ષો પહેલાંના સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રશે અને કાવ્ય-રાસાઓ વિગેરે હસ્ત લિખિત, તથા છપાયેલાં ઘણાં પુસ્તક વિદ્વાનોને મળી આવે છે. કેટલાક લેખકે વળી હાલમાં એવા મંતવ્ય ધરાવનારા દેખાય છે કે મહારાજા વિક્રમાદિત્ય જેન હતા જ નહિ, અગર થયાજ નથી એમની એ માન્યતા બરાબર નથી લાગતી અર્થાત ભૂલ ભરેલી છે. “ હાલના જમાનાના રંગે રંગાયેલાને સ્વભાવ જ જાણે પડી ગયે ન હેય એમ અતિહાસિક વસ્તુને અને–એતિહાસીકને નામે ચડાવી, એક વાર તો ધમાં પ્રજામાં સંશય-ભ્રમ ઉભે કરે, પછી ભલેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy