SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ :ખી થઈને આ અવધૂતને વેશ લીધે હશે? અહા ! શું એનું સુંદર ભવ્યરૂપ, જરૂર આ કઈ ભાગ્યશાલી ઉત્તમ નરરત્ન લાગે છે આવા અનેક વિચારો ભેલી સ્ત્રીઓના હૃદયમાં ઉત્પન્ન થતા અને સમી જતા જેમ જેમ લેકેને આ અવધુતની જાણ થતી ગઈ તેમ તેમ લોકોના ટોળે ટેલા મલીને તેમના દર્શન માટે આવવા લાગ્યા. આજે આખીયે અવંતીમાં અવધૂતના વખાણ થઈ રહ્યા છે. અવધૂતનું લાવયુક્ત વદન જોઈને લેકે પિત પિતાને મન ફાવતું બોલી રહ્યા છે. આહ! શું આ અવધૂતનું મનહર વિશાળ કપાળ શોભી રહ્યું છે. વલી કઈ કહે છે કે “શું એની વિશાળ સુદર આખો શું દીધું વક્ષસ્થલ! શું! હાથીના સુંઢ જેવા જાનુ સુધીના લાંબા હાથ અથવા તે શું આ કઈ દિવ્યશક્તિને ઉપાસક સિદ્ધપુરૂષ છે? કમે કરી અવધૂતની ખ્યાતીથી ખેંચાઈને રાજ્યને મુખ્ય મંત્રીશ્વર વિગેરે પણ અધમ અસૂરના ઉપદ્રવની, શાન્તિના ઉપાય મેલવવાની આશાએ અવધૂત પાસે. આવવા લાગ્યા. એક વખત અવસર પામીને અવધૂતે મન્નીશ્વરને પૂછયું કે “હે મહાભાગ મન્વીશ્વર! તમારા વદન ઉપર હમેશાં ગ્લાની કેમ દૃષ્ટિગોચર થાય છે.” અવધૂતથી પૂછાયેલા પ્રશ્નથી મંત્રીશ્વરે આદિથી અન્ત સુધી સર્વ હકીકત કહી સંભળાવી અને સાથે સાથે વધુમાં કહ્યું કે “જે આપ કેઈ અપૂર્વ ઉપાય બતાવી અગર તે મંત્ર, તંત્રથી અગ્નિવેતાળના ઉપદ્રવથી આ નિરા ધાર અવંતીનું રક્ષણ કરીને અવતીની સમગ્ર પ્રજા ઉપર ઉપકાર કરે એવી હમારી નમ્ર પ્રાર્થના છે. કહ્યું છે. કે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy