SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ જે. લેકે કહેવા લાગ્યાં કે, રાણી કનકમાળા માટે કઈ દેવીએ તે બનાવ્યું જણાય છે. દેવી કનકમાળા ભુવનના ગોખમાં બેસી રાત્રે પેલા જીનભુવન ઉપર રહેલા રસદીપકને પ્રીતિપૂર્વક જોતી હતી. હવે જનમતિ કનક માળાને એકદા રાત્રીના પશ્ચિમ પ્રહરે સ્વર્ગથી બેઘ દેવા આવી અને કહ્યું, આ જે કાંઈ મણિ રત્નજડિત ભુવનમાં રહી તું શાનદ કીડા કરે છે, તે પૂર્વ જન્મમાં જીનભવનમાં દીપદાન કરવાનું ફળ છે, અને આમ વારંવાર રાત્રીએ કહ્યા કરતી હતી. આથી હમેશાં આમ કેણ કહે છે, તેને ખુલાસે ગણુધર નામે અતિશય જ્ઞાની આચાર્ય, જે નગરના ઉદ્યાનમાં આવી સમોસર્યા હતા, તેમને વંદન કરી, ધર્મ સાંભળી પૂછ્યું. તેથી તે મુનિરાજે પૂર્વભવને વૃત્તાંત કહી સંભળાવ્યું, અને કહ્યું કે, એ ધનશ્રી પણ દેવલોકમાંથી ચલી ગા જન્મમાં તારી સખી થશે, અને તએ સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થશે, ત્યાંથી આવી મનુષ્યપણું પામી વૃત્ત અંગીકાર કરી સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધપદને પામશે. તમે પૂર્વભવે કરેલા દીપદાનનું ફળ મેક્ષ પ્રાપ્તિ તમને થશે. આ સાંભળી કનકમાળાએ જૈન ધર્મને સ્વીકાર્યું, અને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને પિતાના સ્વામીની સાથે પોતાના આવાસે આવી. રાત્રી થતાં જનમતિએ જૈન ધર્મ સ્વીકારવા માટે આનંદ પ્રદર્શિત કરી કહ્યું, હું અહીંથી આવીને સાગરદત્ત શ્રેણીની પુત્રી થઈશ. તારે મને ત્યાં આવી પ્રતિબંધ આપ, અને એમ કહી સ્વસ્થાને ગઈ. અનુક્રમે જનમતિ સ્વર્ગથી ચવીને સાગરદત્ત શેઠની સુલશા નામની સ્ત્રીના ઉદરે રહી સુદર્શના નામે કન્યા બની અવતરી; કેમે કરી તે વૈવનપૂર્ણ થઈ. એક દહાડે તે દછિએ પડતાં કનકમાળાએ તેને કહ્યું, “મારી સખીને સ્વાગત છે? હે બહેન ! આ ત્રાષભદેવના મંદિર ઉપર જન્માંતરમાં સ્થાપન કરેલ રતને દીપક રહે છે.” આ પ્રમાણે વચને સાંભળવાથી સુદર્શનાને જાતિસ્મરણ જ્ઞાન થયું. ઉભય સખીઓએ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy