SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ (૨) સાત મુખ્ય સ્તંભલેખે. [૧] ભાષાંતર દેવેને લાડકા પ્રિયદર્શી રાજાએ આમ કહ્યું છે મારે રાજ્યાભિષેક થયું ત્યારથી છવીસ વર્ષે આ ધર્મલિપિ લખાવવામાં આવી હતી. અતિશય ધર્મપ્રેમ, અતિશય પરીક્ષા, અતિશય શુશ્રષા (સેવા), અતિશય ભય અને અતિશય ઉત્સાહ વગર આ લેકની રપને પરલેકની બાબતે મેળવવી અઘરી છે. પરંતુ મારા ઉપદેશથી તમારી પ્રજામાં) ધર્મની આ અપેક્ષા તથા આ ધર્મપ્રેમ વધ્યાં છે અને દિવસે દિવસે વધશે પણ ખરાં. ઉપલા, નીચલા ૪ કે મધ્યવર્ગના મારા અમલદારે પણ (એ બન્ને બાબતને ) અનુસરે છે, અને ચપળ મનના લેકેને (ધર્મને) પાળવાનું માથે લેવાની બાબતમાં સમજાવવાને યોગ્ય હોવાથી તેઓ (તેવા લેકેને પણ) તે (બાબતો) મેળવી આપે છે. ૫ સરહદી પ્રાંતના મહામાત્રે પણ તેમ જ કરે છે. વિધિ આ છે -ધર્મથી પાલન, ધર્મથી ( આજ્ઞાનો) અમલ, ધર્મથી સુખસિદ્ધિ અને ધર્મથી રાજ શાસન.” ટીમ ૧. “પઢીલા” એટલે “પરીક્ષા; મનુષ્યનાં કર્મ નિયમાનુસાર છે કે નહિ, એની પરીક્ષા. જુહૂ’ અને ‘મય’ તે અલબત્ત રાજા પ્રિયદર્શીને ઉદ્દેશીને છે. ‘૩નાદ’ની બાબતમાં સરખા અશોકને છઠ્ઠો મુખ્ય શિલાલેખ તથા ધવલીના અને ચાવગઢના નાદાજાદા શિલાલેખો પૈકીને પહેલો લેખ. અલબત્ત આ બધા ગુણે રાજાના અમલદારેએ પ્રદર્શિત: કરવાના છે. ૨. “ સંદિપ =તિપથ'. એ જ શબ્દનું પિટિપતિ રૂપ આ સ્તંભલેખની આઠમી લીટીમાં જોવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy