SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ તે એવી દલીલ કરે છે કે, જોડાક્ષરનું સાદું રૂપ બનવું તથા પાસેપાસેના એ શબ્દોમાં સ્વરાનું ભળી જવું અને તાલુસ્થાનીય વર્ણના તેમ જ 'કારના શાખ વગેરે આ ઉચ્ચારની અવનતિ દર્શાવે છે. પણ જે ભાષામાં કે મેલીમાં આ ખાસિયતે। જેવામાં આવતી નથી તે ભાષાના કે ખેાલીના કરતાં જે ભાષામાં કે ખેાલીમાં આ ખાસિયતા જોવામાં આવે છે તે ભાષા કે મેલી વધારે પાછળની માનવી જ જોઇએ ખરી? ખીજા સૌને અપવાદરૂપ ગણતાં અમુક વર્ગના કે લેાકેાના કે દેશના ખાસ ઉચ્ચારની રીતનુ દત એ ખાસિયતા કરાવે, એમ કેમ ન બને ? આ બાબતમાં અશેનાં લખાણાના આધારે ગૈા નિર્ણય થઈ શકે તેમ છે, એ આપણે જોશું, ગિરનારના શિલાલેખને કાલશીના શિલાલેખની સાથે સરખાવતાં આપણને એવું માલૂમ પડી આવે છે કે, ગિરનારના શિલાલેખમાંની ભાષામાં ઉચ્ચારની અવનતિ આછી જાય છે, પણ કાશીના શિલાલેખમાંની ભાષામાં ઉચ્ચારની અવનતિ વધારે પ્રમાણમાં દેખાય છે. આપણે જોઈ ગયા છીએ કે, જોડાક્ષામાં મૂળ ર’કાર ગિરનારના શિલાલેખમાં કાયમ રહ્યો છે ત્યારે કાશીના શિલાલેખમાં લગભગ સર્વત્ર ઊડી જ ગયા છે. દાખલા તરીકે, ગિરનારના શિલાલેખમાં આપણે ‘યંત્ર’ શબ્દ વાંચીએ છીએ; પણ કાલશીના શિલાલેખમાં તે 'મેશાં ‘ત્તવત' (સવૃત્ત) શબ્દ જ આપણે જોઇએ છીએ. વળી, ગિરનારના શિલાલેખમાં જ્યાં ‘ઇતિ' શબ્દ છે ત્યાં કાલશીના શિલાલેખમાં ‘થ’ (દૈન્થિ) શબ્દ જ છે. ગિરનારના શિલાલેખની અને કાલશીના શિલાલેખની સરખામણી કરતાં તેમનામાં જોડાક્ષરાનું સાદું રૂપ બની જતું જોવામાં આવે છે તેના અનેક દાખલાઓ પૈકીના આ તા માત્ર થોડાક જ દાખલા છે. હવે તાલુસ્થાનીય વર્ગાના શાખનેા વિચાર આપણે કરશું. સંસ્કૃતભાષામાંના ‘શ્વેત' અને ‘શ્વેત' શબ્દના બદલામાં ગિરનારના શિલાલેખમાં જ્ત' અને મત' શબ્દ વપરાયા છે ત્યારે કાલશીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy