SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મને થઈ તેથી કરીને આ ગ્રંથના કાચા છાપકામનાં પાનાં મને મળ્યાં તેની સાથે જ મેં કાંસના વિદ્યાન(મે. સેના સાહેબ)ને મોકલી આપ્યાં અને તેમને એવી વિજ્ઞપ્તિ કરી કે, આ ગ્રંથના સંબંધમાં તેઓ પોતે જે મત બાંધે તે કોઈ પણ રીતે ખેંચાયા વગર મને લખી જણાવે. પરંતુ લાંબા વખત સુધી તેમના તરફથી કાંઈ જવાબ આવ્યો નહિ. આખરે આ પ્રસ્તાવના બીબાંરૂપે ગોઠવાતી હતી તે અરસામાં જે જવાબની આશા લાંબા વખતથી રખાતી હતી તે જવાબ આવી પહોંચ્યા. એ પત્રની શરૂઆતમાં આમ કહ્યું છે –“જૂના સેબતીની કાંઈક લથડી ગએલી તબિયતને લીધે વાર લાગી છે તેને માટે તમે માફી આપશે. તમારા “અશકનાં સુંદર પૃષ્ઠો મને તમે મોકલ્યાં તે ખાતે તમારે આભાર વધારે વહેલ માનવાનું મેં ઇચ્છયું હતું. વર્ષોના પહેલાં એ ધાર્મિક રાજાના અને તેના કિંમતી શિલાલેખોના અભ્યાસ પાછળ મેં વખત ગાળેલે તેને મહેરબાનીના રાહે તમે યાદ કર્યો છે. તમારા જેવા સુશિક્ષિત ન્યાયાધીશના પ્રમાણપત્રથી મારા મનના ઉપર કેમ અસર ન થાય ? મારા યૌવનકાળની આ શોધખોળે મને સદા પ્રિય . અને હાજરાહજૂર છે, એ તમે કપી શક્શો. તમારા પુસ્તકથી હું એ બાજુએ ફરીથી એક વાર દેરાઉં છું. હું એ પુસ્તકનો ઘણો આભારી છું હું આભારી છું તેનું કારણ એ કે, જે યાજક અને ઉત્સાહપૂર્વક બુદ્ધિથી હિંદુસ્તાનના આધુનિક અભ્યાસીઓ પિતાના દેશના ભૂતકાળની પુનઘટના કરવાને પ્રયત્ન કરે છે તેને અતિસુંદર નમૂનો તેનાથી મને પૂરો પડે છે.” મેં. સેના મારાથી કયી યી બાબતમાં જુદા પડે છે તે પિતાના આ પત્રમાં તેમણે ખુલ્લા દિલથી મને જણાવી દીધું છે. માત્ર એક અપવાદ બાદ કરતાં બાકીની બધી બાબતો નજીવા મતભેદ રૂપ છે. અશોકની પછી હિંદુસ્તાનના ઉપર ગ્રીસના અને કુરાની પરદેશી લેકના હુમલા થયા તેને ફતેહ મળવા માટે માર્ગને સરળ કરી આપનાર તેની પરદેશ ખાતાની નીતિમાં તેણે કરેલા ફેરફારની, “તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy