SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬ ] શિક્ષાપ્રેમી પ્રો. હુમાયૂ કબીરને પણ મળવાનું થયું. મહાસભાની કારોબારીની બેઠક તથા અન્ય કાર્યોનાં કારણે તેઓએ અહીં પધારવાની: અશક્તિ જાહેર કરી. તે પણ અમને કેટલાક સંદેશાઓ પ્રાપ્ત થયા છે ને બીજા પ્રાપ્ત થશે એવી આશા છે. તે બધા આપ અધિવેશનના. વૃત્તાંતમાં વાંચી શકશે. શ્રીયુત રાજગોપાલાચારી, મુંબઈના ગવર્નર રાજા મહારાજસિંહ, વડા પ્રધાન શ્રી બાલ ગંગાધર ખેર, ઓરિસાના તત્કાલીન વડા પ્રધાન શ્રી હરિકૃષ્ણ મહેતાબ, શાંતિનિકેતનના શ્રી ગુરદયાલ મલિક તથા અન્ય સજજનોના સંદેશાઓ તેમણે વાંચી. સંભળાવ્યા. પ્રાપ્ત થયેલા બધા સંદેશાઓ આ વિવરણના છેડે પરિશિષ્ટમાં, આપેલા છે. સંક્ષિપ્ત વાર્ષિક કાર્ય-વિવરણ મુનિશ્રી નથમલજી સ્વામીએ સંઘની પ્રગતિને નીચે જણાવેલ. હેવાલ વાંચી સંભળાવ્યો – - સંવત ૧૯૯૩ ના ભાદરવા માસમાં જ્યારે આચાર્ય શ્રી તુલસીના, ખભે શ્રી જૈન વેતાંબર તેરાપંથ સંસ્થાના આચાર્યપદનો ભારે બેજ આવ્યો, ત્યારથી તેઓનું વૈયકિતક જીવન લેકજીવનમાં પલટાઈ ગયું. બાવીસ વર્ષના એક નવયુવાન હેવાના કારણે તેઓના વિચારમાં નવીનતમ કાર્યક્રમ અને કાર્ય કરવામાં અભિનવ ચેતના. અને અભિનવ સ્કૂતિ હતી. ફલ એ આવ્યું કે ચેડા જ વર્ષોમાં લાખો મનુષ્યના હૃદય પર તેમના અફર ભાવની રેખાઓ અંકિત થઈ.. અનીતિના ઘેર અંધકાર તરફ જઈ રહેલી જનતાને એકાએક પ્રકાશ. જ દષ્ટિગોચર થવા લાગ્યા. જુદા જુદા પ્રાંતના અનેક વિખ્યાત. વિચારક પુરુષો તેઓની સામે પોતાના વિચારો રજૂ કરવા લાગ્યા કે. આજે ભારતની જનતાનું જે નૈતિક પતન થઈ રહ્યું છે, તેને શીઘા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy