SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૪] અગ્નિ આદર્શને બરાબર ઝીલનારા બને. તે જ મારું પરમ લક્ષ્ય છે, તે જ મારે ખાસ પ્રયત્ન છે. અણુવતીઓ નામમાત્રના બનાવવા નથી, પણ ખરેખરા બનાવવા છે. સાધુ-સંધની જવાબદારી મારા પર છે. બધા સાધુઓની દેખરેખ મારે રાખવી પડે છે. સાધુઓ ભારતવર્ષના ખૂણે ખૂણામાં જાય છે. ત્યાં જે કઈ સાધુ કાંઈ પણ ભૂલ કરે તો પાછો આવતાં પ્રાયશ્ચિત્ત પદ્ધતિ મુજબ તેને દંડ દેવામાં આવે છે. તે જ નિયમ અણુવતીઓ માટે પણ છે. તમે એમ ન સમજતા કે તે માત્ર ચોપડીમાં રાખવા માટે જ છે. કોઈ પણ સ્થળે કેઈ અણુવતી પાલનમાં ત્રુટિ કરશે તે સંભવ છે કે જનપરંપરાએ તે મારા સુધી અવશ્ય આવી પહેચશે. તે પ્રસંગે મારું કર્તવ્ય એ હશે કે યોગ્ય તપાસ બાદ ઉપવાસ વગેરેના રૂપમાં આધ્યાત્મિક પ્રાયશ્ચિત્ત આપવું. તેની ચેતવણુ હું આજ થી જ બધાને આપી દઉં છું. ઘણું વ્યક્તિઓ જે લાંબા વખત સુધી અણવતાની સાધના કરી ચૂકી છે, તેમણે ત્યાગ કરવો પડશે. જેઓ પોતાને ત્યાગને અનુકૂળ પૂરેપૂરા ન બનાવી શકે, તેઓ પોતે જ વિચાર કરી લે કે તેમણે શું કરવાનું છે હાં, સાધનાની બાબતમાં એટલું તે હું પણ આવશ્યક સમજું છું કે જેઓ ત્યાગ લેવાનો સંકલ્પ કરી ચૂક્યા છે અથવા કરે છે, તેઓ સંગાનુસાર આજે જ ત્યાગ લેવાને માટે તૈયાર નથી પણ તેઓ ત્યાગ લેવાની સેક્સ મુદત બતાવીને તેટલા સમય સુધી પિતાનું નામ સાધનામાં રાખવી શકે છે આ વર્ષે નવેસરથી અણુવતી-સંધમાં દાખલ થનારા, ઈચ્છે તે, એક વિષે સાધનામાં રહી શકે છે. ભાષણની વચ્ચે વચ્ચે આચાર્યશ્રી ઉકત વિષયો પર આણુનતીઓના વિચાર કેવા છે, તે પ્રશ્નો પૂછીને જાણી લેતા હતા. એ વિચારો સાથે પિતાના વિચારોનો સમન્વય કરીને તેઓશ્રી દરેક સમસ્યાને નિર્ણયના બકકે પહેચાતા હતા. એતંત્ર અને ક્વતંત્ર વચ્ચેનો આ માર્ગ ત્રણ જણાતો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034747
Book TitleAnuvrati Sangh
Original Sutra AuthorN/A
AuthorSatyadev Vidyalankar
PublisherAdarsh Sahitya Sangh
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy