SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ સુદ્ધની પછી માનવ સભ્યતાનું શું રૂપ રહેશે, એ વિષયમાં દૂરંદેશ વિચારોની કલ્પનાઓ પણ અસ્ત થઈ ગઈ છે. યુદ્ધનું મૂળ કારણ મનુષ્યનું મન છે તેમાં જે મિત્રીનું બીજ યોગ્ય સમયે વાવવામાં આવે તો યુદ્ધનું બીજ ક્યાં પડે જ નહિ. આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં મૈત્રીભર્યું વાતાવરણું બની રહે એ દિશામાં આંદોલન બની શકે તેટલું સક્રિય રહ્યું છે. ઈ. સ. ૧૯૫૫ થી પ્રતિવર્ષ એક ઉચ્ચ મૈત્રી દિન મનાવવાની પ્રણાલિકા પ્રારંભ કરવામાં આવી, જેમાં દેશના ઉચ્ચતમ રાજનૈતિકે, વિદેશી કૂટનીતિજ્ઞો અને આંતરરાષ્ટ્રિય સંસ્થાને સક્રિય ભાગ લીધે. યુનેસ્કોના તે સમયના ડાયરેકટર જનરલ લૂથર ઈવાન્સે આ સંબંધમાં કહ્યું કે, “સામાજિક અને આંતરરાષ્ટ્રિય સ્તર પર પ્રતિવર્ષ મૈત્રી દિન મનાવ આંતરરાષ્ટ્રિય તણું (Tensions) ઓછા કરવાની દિશામાં અને વિશ્વબંધુતા અથવા વિશ્વમૈત્રીના નિર્માણની દિશામાં એક સુદઢ પગલું છે.” ઈ. સ. ૧૫૮ માં અમેરિકાના તે સમયના રાષ્ટ્રપતિ આઈઝનલેવર અને રશિયાના પ્રધાનમંત્રી શ્રી કુચેવના પ્રથમ મિલન પ્રસંગે આંદોલન પ્રવર્તક આચાર્ય શ્રી તુલસીએ એક વિશેષ સંદેશ દ્વારા એક પંચસૂત્રી આંતરરાષ્ટ્રિય આચાર સંહિતા પણ જાહેર કરી. તે સંદેશ આઈઝનહાવર ફુચવ આદિ વિભિન્ન દેશના રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેદ્દેદારોમાં વિભિન્ન આંતરરાષ્ટ્રિય પત્રપત્રિકાઓમાં પ્રસારિત થયા સારી પ્રતિક્રિયા પણ થઈ. તે પચત્રી આચાર સંહિતામાં કહ્યું હતું.... (1) કોઈ રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર પર આક્રમણ ન કરે અને આક્રમણ કારીને સહાય ન આપે. (૨) કોઈ રાષ્ટ્ર અણુશસ્ત્રોનું નિમણિ પરિક્ષણ કે પ્રયોગ ન કરે, () કઈ રાષ્ટ્ર અન્યની આંતરિક નીતિમાં હસ્તક્ષેપ ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034746
Book TitleAnuvrat Andolan
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherGujarat Anuvrat Samiti
Publication Year1961
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy