SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ - નિર્વાચન સંબંધી આચાર સંહિતા:- દેલનની મયિતા જ્યાં વિભન્ન વર્ગોનાં નેતિકનિમણ તેમજ અસમાજિક તત્વનાં સુધારમાં જાગૃત થઈ છે, તે રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સમસ્યાઓમાં પણ એક ભાવનાત્મકભૂમિ આપવામાં ગતિશિલ રહી છે. જનતંત્ર એ નવીન સામાજિક મૂલ્ય છે. ચૂંટણી તેને આત્મા છે. પરંતુ જનતાને વર્તમાન નતિક સ્તર અને ચૂંટણી પ્રણાલિકા બંને મને એક અનૈતિક મહારેગ જેવું પેદા કરે છે. અણુવ્રત આંદોલનના અન્તર્ગત વિગત રાષ્ટ્રિય ચૂંટણીના પ્રસંગ પર એક ઉચ્ચકોટિની ચૂંટણી શુદ્ધિ અભિયાન ચલાવવામાં આવ્યો. રાજધાની (દિલ્હી) માં આંદોલન પ્રવર્તક આચાર્ય શ્રી તુલસીના સાનિધ્યમાં એક વિચાર સભા થઈ, જેમાં ચૂંટણી વિષેયક શ્રી સુકુમાર સેન, કેસના તે સમયના અધ્યક્ષ શ્રી ઉ. ન. ઢેબર, પ્રજા સમાજવાદી પક્ષના નેતા આચાર્ય જે. બી. કૃપલાની સામ્યવાદી પક્ષના નેતા શ્રી. એ કે ગોપાલન તથા અન્ય રાજ્યનૈતિક પક્ષોના અગ્રણી નેતાઓ ઉપસ્થિત હતા. તે સભામાં અણુવ્રત આંદોલન દ્વારા પ્રસ્તુત ચૂંટણી સંહિતા પર વિચાર, કરવામાં આવ્યા અને સત્તર નિયમોની તે આચાર સંહિતા સર્વાનુમતે સ્વીકાર થઈ આચાર્ય શ્રી દ્વારા જાહેર કરવામાં આવી. (જુઓ પૃષ્ઠ નં ૨૧) ચુંટણીના વાતાવરણમાં નાના ઉપક્રમોથી વ્યાપક પ્રચાર થયો. વિભિન્ન લેકો દ્વારા તે આદર્શો પર ચાલવાના જલવન્ત ઉદાહરણે પણ જોવામાં આવ્યાં. અત્યારે તે આચાર સંહિતા અણુવ્રત આંદોલનને સ્થાયી સ્તંભ બની ગઈ છે અને ચૂંટણીના સંબંધથી નૈતિક મૂત્યેની જાણ અથવા નિર્દેશન સદાને માટે કરતી રહેશે. એવી આશા સેવવામાં આવે છે. વિશ્વ મિત્રીની દિશામાં – અણુશસ્ત્રોના નિમણુ પરિક્ષણ અને પ્રયોગની પશ્ચાદ સમગ્ર વિશ્વ જાણે ભીષણ જ્વાળામુખીના મુખ પર પહોંચી ગયું છે. ઠંડુ યુહ રોકાઈ રોકાઈને ઉષ્ણ યુદ્ધમાં બદલાવા ઈચ્છે છે. ત્રીજા વિશ્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034746
Book TitleAnuvrat Andolan
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherGujarat Anuvrat Samiti
Publication Year1961
Total Pages38
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy