SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતાંબર સંપ્રદાયના પ્રમુ છે વચ્ચે પ્રવર્તતી આવી ઊમિમય એકતાને ખરતરગચ્છીય કવિવર સમયસુંદરે સુંદર શબ્દોમાં વાચા આપી છે– ભકારક તીન હુએ બડભાગી, જિણ દીપાયઉ શ્રી જિનશાસન, સબલ પહૂર ભાગી, ભ૦ ૧, ખરતર શ્રી જિનચંદ સૂરીસર, તપા હીરવિજય વેરાગી; વિધિપક્ષ ધરમૂરતિ સુરીસર, મોટો ગુણ મહા ત્યાગી. ભ૦ ૨. મન કેઉ ગવ કરઉ ગચ્છનાયક, પુણ્યદશા હમ જાગી; સમયસુંદર કહુઈ ન વિચાર, ભરમ જાયઈજિમ ભાગી, ભ૦ ૩૪ એ પછી ખંડન-મંડનાત્મક પ્રવૃત્તિએ મંડાણ કર્યું અને એક બીજાનાં દૂષણે જોવામાં શાસનની અમૂલ્ય શક્તિને વ્યય થયે; કિન્તુ અચલગચ્છ આવી નકારાત્મક પ્રવૃત્તિથી અલિપ્ત રહેવાનું જ ઉચિત ધાયું. પોતાના ગચ્છ પર ઉગ્ર પ્રહારો થયા હોવા છતાં અચલગચ્છ કાઈપણ ગચ્છની સામાચારીનું નિષેધાત્મક રીતે ખંડન કર્યું નથી કે કટુતા પ્રેરક કોઈ ગ્રંથ રચેલ નથી એ એક ઐતિહાસિક સત્ય છે, જે દ્વારા ગચ્છની પ્રગતિશીલ વિચારધારા સૂચિત થાય છે. આ સંદર્ભમાં પ્રસ્તુત લેખોમાંથી જોવા મળતા ગચ્છ-સમદર્શિતા સંબંધક ઉલ્લેખે મહત્ત્વપૂર્ણ બની રહે છે. અચલગચ્છીય શ્રાવકોએ અન્ય ગચ્છના આચાર્યોની નિશ્રામાં પ્રતિષ્ઠા કરી તેની સૂચિ નિમ્નોક્ત છેઃ લેખાંક પ્રતિષ્ઠાપક આચાર્ય ગ૭ સ્થળ સંવત ૩૨૪-૫ વિજય જિનેન્દ્રસૂરિ તપાગચ્છ શત્રુજય ૧૮૬૦ ૩૭૮-૯ જિનશાન્તિસૂરિ વિજયગચ્છ સમેતશિખર ૧૯૨૧ ૩૯૪ વિજયલક્ષમણુસૂરિ તપાગચ્છ મુંબઈ ૨૦૦૫ ४८६ વિજય જિનેન્દ્રસૂરિ દેવસૂરિગચ્છ રાધનપુર ૭૯૭ પં. દેવચંદ્રગણિ ખરતરગચ્છ શત્રુજય ૧૭૮૧ ૮૧૦ ૧૮૧૦ ૮૫૩ આણંદસમસૂરિ તપાગચ્છ દમણ ૧૮૮૧ ૮૫૪ વિજયદેવેન્દ્રસૂરિ સુરત ૧૮૮૧ ૮૫૫ આણંદસેમસૂરિ ૧૮૮૧ ૧૦૩૧ મહેન્દ્રસાગર ખરતરગચ્છ માંડલ ૧૯૮૨ ૧૦૫૪ હીરસાગરસૂરિ આદિ તપાગચ્છ આદિ સહી ૧૩૨૩ થી ૧૦૭૮-૯ ગુણરત્નસૂરિ તપાગચ્છ સુરત ૧૯૩૯ તદુપરાંત લેખાંક ૩૩૫ માં પં. મુક્તિવિજયજી અને ભીમવિજયજીના ચાતુર્માસને ઉલેખ છે, તથા લેખાંક ૪૧૦ માં વિધિપક્ષ સમુદાયે ખરતરગચ્છીય શ્રમના ઉપદેશથી આબૂની યાત્રા કરી તે સંબંધમાં વર્ણન છે, જે દ્વારા ઉપયુક્ત હકીકતને પુષ્ટિ મળે છે. * “સમયસુંદર-કૃતિ-કુસુમાંજલિ” સં. નાહટાજી, “ભદારક ત્રય ગીતમ'. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034742
Book TitleAnchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAkhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh
Publication Year1971
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy