SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાતિ-મુકુટમણિ નિમાયેલી જસ્ટીસીઝ સમિતિ દ્વારા થતો. આ સમિતિમાં કેશવજી શેઠ તથા તેમના પુત્ર નરસી શેઠ ચાલુ નિમાયેલા સભ્ય હતા. એમની જ્ઞાતિના અન્ય સભ્ય હતા શેઠ વેલજી માલુ. મુંબઈના સર્વાગી વિકાસમાં શ્રી કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિને ફાળે કેટલું મહત્ત્વપૂર્ણ હશે તેને ખ્યાલ ઉક્ત નિમણુંક દ્વારા મળી શકશે. મુંબઈની આગેવાન જ્ઞાતિઓમાં એ જ્ઞાતિ હતી એવા કીંમતી ઉલેખે તત્કાલીન ગ્રન્થરત્નમાંથી પ્રચુર પ્રમાણમાં મળી આવે છે, જેની પીઠિકામાં કેશવજી શેઠના એનેકવિધિ કાર્યો હતો તેની કોણ ના પાડી શકે? મુંબઈ સુધરાઈએ શેઠની ઉમદા સેવાઓના ઉપલક્ષમાં કુવારાથી ઠેઠ ટ્રામ સુધીના અગત્યના વિશાળ માર્ગનું શેઠ કેશવજી નાયક રેડ” એવું નામાભિકરણ કરીને એમની સ્મૃતિ જીવંત રાખી છે. શેઠનાં ધર્મસ્મારક, જેમાં કોઠારાનું ભવ્ય જિનાલય, શ્રી શત્રુંજયગિરિ ઉપરની બે ટૂંકે, પાલિતાણનું જિનાલય તથા ધર્મશાળા વગેરે મુખ્ય છે, તેઓ તેમની વ્યાપક ધર્મપ્રવૃત્તિનાં અનેક સંભારણાં રજૂ કરે છે. એમણે કરાવેલી અંજનશલાકા તે એમની કારકિર્દીમાં યશ-કલગી ઉમેરે એવી ગરિષ્ટ છે. જૈન સંઘ કેશવજી શેઠનાં સુકૃત્ય માટે મગરૂબી લે છે. અહીં તે એની આછી રૂપરેખા જ પ્રસ્તુત છે. વિ. સં. ૧૯૧૪ માં કેશવજી શેઠે શેઠ શિવજી નેણશી તથા શેઠ વેલજી માલ સાથે તેમના વતન કોઠારામાં ભવ્ય - જિનપ્રાસાદ નિર્માણ કરવાની યોજના ઘડી અને તેનું કામ તડામાર શરૂ કરાવ્યું. કચ્છ-સાભરાઈને સલાટ નથુ એ બેનમૂન કલા-સ્થાપત્યને સૂત્રધાર હતું. તેના માર્ગદર્શન હેઠળ સેંકડે કુશળ કારીગરેએ સતત ચારેક વર્ષની જહેમત બાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com જ શેઠ શેઠ શિવ માહુ સાથે જિનપ્રાસાદ
SR No.034741
Book TitleAnchalgacchana Jyotirdharo
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1974
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy