SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિદ્યાસાગરસૂરિ વાચક જ્ઞાનસાગર ૨૧ર૦. વા. જ્ઞાનસાગરે “અષ્ટાપદ સ્તવન' રચ્યું, તેમાં તેઓ અંતે જણાવે છે: અંચલગચ્છ રે અધિપતિ સોહીએ, શ્રી વિદ્યાસાગરસૂરિ, તસ વિનવી કહે રે જ્ઞાન વિબુધવરી, પ્રભુનામ સુખકારી. ૧૫ સહજશેખર, જગતશેખર અને કમલહર્ષ ૨૧૨૧. સં. ૧૭૮૭ના આસો સુદી ૮ ને રવિવારે કોઠારામાં સહજશેખરના શિષ્ય જાતશેખરે કમલહર્ષના વાંચનાર્થે જ્ઞાનસાગરકૃત ‘ચિત્રસંભૂતિ ચેપાઈ” (સં. ૧૯૨૧)ની પ્રત લખી. વિદ્યાસાગરસૂરિના પ્રતિષ્ઠા લેખ ૨૨૨. પ્રાચીન ગ્રંથ દ્વારા જણાય છે કે આચાર્યો ઘણું જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. દુઃખને વિષય છે કે એમના બધા પ્રતિષ્ઠા-લેબો ઉપલબ્ધ થયા નથી. અહીં માત્ર ઉપલબ્ધ લેખો વિશે અ૫ નેંધ પ્રસ્તુત છે. ૨૧૨૭. સં. ૧૭૮૫ ના માગશર સુદી ૫ ના દિને પ્રાગ્વાટે શ્રેષ્ઠી વલ્લભદાસના પુત્ર માણિજ્યચંદ્ર શ્રી વિમલનાથબિંબ ભરાવી વિદ્યાસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. જુઓ. જે. ધા. પ્ર. લેખ–સંહ, ભા. ૧, લે. ૩૮૮, સંપાદક બુધિસાગરસૂરિ. આ પ્રતિષ્ઠા પાટણમાં થઈ એમ પટ્ટાવલીમાં જણાવાયું છે. તેમાં એમને મંત્રીશ્વર વિમલ સંતાનીય કહ્યા છે. વાસ્તવમાં વિમલ નિઃસંતાન હતા. તેના નાના ભાઈ સાહિલના વંશજો પિતાને વિમલના વંશજ તરીકે ઓળખાવે છે. વલ્લભદાસ પણ ચાહિલના વંશજ હશે. ૨૧૨૪. રિકોલનાં જિનાલયની મૂલનાયકની પ્રતિમા પર આ પ્રમાણે લેખ છે : સંવત ૧૭૮૨ वर्षे माघ शुदि १० शुक्रे सा० गुलालचंद पुत्र दीपचंदेन श्री गोडीपार्श्वनाबिंब कारापितं श्री अंचलगच्छे श्री पूज्य श्री विद्यासागरसूरि उपदेशेन ॥ આ લેખમાં પ્રતિષ્ઠા સ્થળને ઉલ્લેખ નથી. સં. ૧૯૬૩ ના જેઠ સુદી 2 ના દિને રિદ્રોલમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે તે પ્રતિમા ખંભાતથી લાવી મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં હતાં. ન્યાયવિજયજી જણાવે છે કે ગેડીજીની આ પ્રતિમાં ભવ્ય અને ચમત્કારી છે. અવારનવાર જાદા જુદા ચમત્કારની વાત સંભળાય છે. ઢિોલ ગામનું નામ ત્રંબાવતી નગરી દંતકથા રૂપે કહેવાય છે. માં પ્રાચીન ગામને લીલુડી પણ કહે છે. જુઓ-જે. સ. પ્ર. વર્ષ ૯, અંક ૯, પૃ. ૪-૧-'રિદ્રોલના જેનમંદિરના લેખ.” ૨૧૨૫. નાગપુરના પ્રાચીન જ્ઞાનભંડારમાંથી અજ્ઞાત કતૃક ગુટકે પ્રાપ્ત થતાં તેમાંથી સિદ્ધાચલની નવા દૂકોની પ્રતિમાઓની પ્રતિલિપિ ઉપલબ્ધ બને છે. તેમાં છીપાવસહીની વિગત આ પ્રમાણે છે– સમ્પત ૧૭૪૧ (? ૧૯૮૧) વૈશાપ શુદિ ૭ વિધ૫ વિદ્યાસાગરસૂરિ વિજયરાયે સુરતનગર વાસ્તવ્યઃ સા. ગેવિંદજી પુત્ર ગેડીદાસ જીનદાસ કારિત શ્રી આદિનાથબિંબ પ્રતિષ્ઠિતં ચ ખરતરગચ્છ ઉપાધ્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy