SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ અંચલગચ્છ દિગ્દર્શન સુખસાગરગણિત ૧૬૭૭. સં. ૧૭૦૪ ના આસો સુદ ૬ને શુક્રવારે વા. દેવસાગરજીના શિષ્ય સુખસાગરગણિએ પં. ઉત્તમચંદ્રગણિના શિષ્ય વિજયચંદ્રગણિના પડનાર્થે જિનરાજરિ કૃત “શાલિભદ્ર રાસ' (સં. ૧૬૭૮)ની પ્રત લખી. વિજયચંદ્રના શિષ્ય ઉદયચંદ્ર પ ગ્રંથકાર હતા. ઉપાધ્યાય વિદ્યાસાગર ૧૬૭૮. સ. ૧૬૬૫ અને ૭ના એમના પ્રતિષ્ઠાલેખો ઉપલબ્ધ છે, તે દ્વારા જાણી શકાય છે કે સં. ૧૬ ૬૭ના શ્રાવણ સુદ ૨ ને બુધે ખંભાતમાં ચાતુર્માસ હતા ત્યારે ત્યાંના શ્રીશ્રીમાલ જ્ઞાતીય સોની જીચંદ, ભાર્યા વિજલદેના પુત્રો જીવરાજ, સંઘજી અને દેવકરણે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી વીશીપદ કરાવ્યો હતો તેની પ્રતિષ્ઠા એમની નિશ્રામાં થઈ. વા. દેવસાગરે અતિહાસિક પત્ર લખ્યો છે તેમાં તેની જીવરાજ, સંઘ અને સુરજને ઉલ્લેખ છે. ૧૬૭૯. સં. ૧૬૬પના પ્રતિષ્ઠા લેખમાં વિદ્યાસાગરની શિષ્ય પરંપરા આ પ્રમાણે જણાવી છેઃ ઉપા. વિદ્યાસાગર ગણિ–વા. વિદ્યાશીલ ગણિ– વા. વિવેકમેરુગણિ–પં. મુનિશીલ ગણિ. જુઓઃ “અંચલગીય લેખ સંગ્રહ', લેખાંક ૨૮૪–૫. મુનિ ક્ષમાશેખર ૧૬૮૦. વા. સુમતિશેખર શિ. વા. સૌભાગ્યશેખર શિ. ૫. ભાણિજ્યશેખર, સકલશેખર અને ક્ષમાશેખરે સં. ૧૬૮૩ ના આસો સુદી ૬ ને શનિવારે બુરહાનપુરમાં પાદશાહ સલેમશાહ-જહાંગીરના રાજ્યમાં “ઉપદેશમાલા બાલાવબોધ'ની પ્રત લખી. પં. પુણ્યમંદિર શિ. ઉદયમંદિર ૧૬૮૧. ૫. પુણ્યમંદિરના શિષ્ય ઉદયમંદિરે સં. ૧૬૫ ના કાર્તિક સુદી ૧૭ ને સોમે સેરાટપુરમાં “બ્રજભુજંગ આખ્યાન ” નામક પદ્યકૃતિ રચી. જુઓ જે. ગૂ. ક. પં. વિજ્યમૂર્તિ ગણિ ૧૬૮૨. મહેપાધ્યાય હેમમૂર્તિગણિના શિષ્ય પં. વિજયમૂતિ ગણિએ શત્રુંજયગિરિ પરના જિનાલયની સં. ૧૬૮૩ ની શિલા પ્રશસ્તિ લખી હતી. જુઓ અં. લેખસંગ્રહ લેખાંક ૩૧૫. હષિ કીકા ૧૬૮૩. મહ. વિનયસાગરજીના શિષ્ય ઋષિ કીકાએ ભતૃહરિત્રિશતી ટિપ્પણિની પ્રત સં. ૧૬૯૫ માં ધવલક નગરમાં રહીને લખી. જુઓઃ મુનિ પુણ્યવિજયજીને પ્રશસ્તિ-સંગ્રહ, ભા. ૨, ક્રમાંક ૫૧૩૭. ભર્તુહરિએ નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતક રચ્યાં હોવાનું મનાય છે. આ ત્રણ શતકને શતકત્રય કે ત્રિશતી કહેવામાં આવે છે. ત્રિશતી જેમાં ખૂબ પ્રિય હશે એમ લાગે છે. એના અનુકરણરૂપે સોમશતક, ધનદત્રિશતી, પદ્માનંદશતક આદિ શતક રચાયાનું અનુમનાય છે, તેમજ આ ગ્રંથ પર અનેક ટીકાઓ પણ થઈ છે. પુરયરત્નસૂરિ કૃત “મિરાસ-ચાદવરાસ ની પ્રત મુનિ કીકાએ સં. ૧૬૯૭ ના ચિત્ર સુદી ૮ ને દિવસે ખંભાતમાં રહીને રચી. જે, ગૂ. ક. ભા. ૧. પૃ. ૨૪૪. અતિચંદ્ર ૧૬૮૪. અંચલગરછીય શ્રમણ અતિચંદ્ર દેવેન્દ્રસૂરિકૃતિ “શનક' નામના કર્મગ્રંથ પર બાલાવબોધ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy