SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસા ૪૦૧ પં. પ્રેમગણિ શિષ્ય દેવમૂર્તિ અને રષિ દેવજી ૧૬૬૮. પં. પ્રેમજીગણિના શિષ્ય દેવમૂતિએ સં. ૧૬૯૮ માં વિજયશેખર કૃત “ચંદરાજા રાસ ” (. ૧૬૯૪)ની પ્રત ઋષિ દેવજીના વાંચનાર્થે ભૂજનગરમાં લખી. ઉપાધ્યાય નયસાગર ૧૬ ૬૯. મહો. રત્નસાગરજીના શિષ્ય ઉપાધ્યાય નવસાગરે આઠ ટાલમાં ‘ચિત્યવંદન ” તથા વીશી રચ્યાં. વીશીની ગ્રંથપ્રશસ્તિ દારા કવિ ઉપાધ્યાય પદધારક હતા તેમ જણાય છે. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૫૯૨. કીર્તિચંદ્ર તથા ઉભયચંદ્ર ૧૬૭૦. સં. ૧૬૯૯ ના જેઠ સુદ ૨ ને મંગળવારે ઉગ્રસેનપુરમાં કીતિચંદ્ર સિંહ કલકત “ મુનિપતિ ચરિત્ર ( સં. ૧૫૫૭ )ની પ્રત લખી. સં. ૧૬૯૯ના કાતિક વદિ ૬ ને સોમવારે બ્રહ્મવાદનગરમાં સંઘવી ગજાની ભાર્યા ગજમલદેના પઠનાથે ઉભયચંદ્ર વાચક મુલાકત “ ગજસુકુમાલ સંધિ (સં. ૧૬૨૪)ની પ્રત લખી. પ્રત પુપિકામાં તેઓ પિતાની ગુરુપરંપરા આ પ્રમાણે જણાવે છે: કલ્યાણસાગરસૂરિ–વીરચંદ્ર ગણિ–પં. ધનસાગર ગણિ-કીર્તિચંદ્ર–ઉભયચંદ્ર. પંડિત ગુણચંદ્ર શિ. વિવેચંગણિ ૧૭૧, ૫, ગુણચંદના શિષ્ય વિવેકચંદ્ર ગણિએ સં. ૧૬૯૭ ના પોષ સુદી ૧૫ ના દિને રાધનપુરમાં રહીને “ સુરપાલ રાસ રચે. એ ગ્રંથની એક પ્રત કવિએ જાતે લખી, જુઓ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૦૬૬-૮. અમીમુનિ ૧૬૭૨. સકલકીર્તિ કૃત સુભાષિત શ્લોક-સંગ્રહ”ની પ્રત અમીમુનિએ સં. ૧૭૧માં લખી. જુઓ મુનિ પુણ્યવિજયને પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, ક્રમાંક ૫૫૬૩. પંડિત ગુણવદ્ધનગણિ ૧૬૭૩. વા. ક્ષમાકીર્તિના શિષ્ય વા. રાજકીર્તિ તથા પં. ગુણવઠન થયા. એમના શિષ્યો– મૃતસાગર, દયાકીતિ અને વિજયકીર્તિએ સં. ૧૬૬ ના ચૈત્ર વદિ ૧૨ ના દિને પાલીગામમાં હીરકલશ કૃત “સિંહાસન બત્રીશી' (સં. ૧૬૩૬)ની પ્રત લખી. વાચક વીરચંદ્રગણિ શિ, જ્ઞાનસાગર અને સ્થાનસાગર ૧૬૭૪. વા. પુણ્યચંદ્ર શિ. વા. કનકચંદ્ર શિ. વા. વીરચંદ્ર શિ. જ્ઞાનસાગરે સં. ૧૯૭૮ના આસે સુદી ૮ ને શુક્રવારે માંડવીમાં રહીને “સિંહાસન દાવિંશિકા ’ની પ્રત લખી. એમના ગુરુબંધુઓ ધનસાગર અને રાનસાગર થયા. ૧૬૭૫. થાનસાગરે સ. ૧૯૮૫ ના આસો વદિ ૫ ને મંગળવારે ખંભાતમાં રહીને ત્યાંના રાજમાન્ય શ્રેણી નાગજીના આગ્રહથી “ અડદન રાસ ૩૯ ઢાલમાં ર. એ ગ્રંથની એક પ્રત કવિએ એજ વષે જેઠ સુદી ૧૭ ને રવિવારે રાધનપુરમાં લખી. જુઓ: જૈ. ગૂ. ક, ભા. ૧, પૃ. ૫૨૮. લાવણ્યસાગર ૧૬૭૬. સ. ૧૬૭૯ ના ભાદરવા સુદી ૯ ને ગુરુવારે ઉત્તરાધ્યયન સૂત્રની એક પ્રત લાવયસાગરના વાંચનાર્થે, પાટણના વીરવંશીય શ્રાવક હરજીએ લખાવીને ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિને વહેરાવી. ૫૧ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy