SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાવસાગરસરે ૩૧૭ ૧૨૭૮. પાશ્ચાત્ય વિદ્વાનોની નોંધ પણ અહીં રજૂ કરવી અભીષ્ટ છે. ડૉ. પિટર્સને પોતાના સંસ્કૃત હસ્તપ્રત વિષયક અહેવાલ સને ૧૮૮૭–૯૨ ની પ્રસ્તાવનામાં નોંધે છે કે Bhavasagara-Mentioned as pupil of Siddhantasagara and guru of Gunonidhana in the Ancala-gachcha, 3, p. 220. In the Ancalagachchapattavali the following dates are given for Bhavasagar. Birth, Samvat 1510; diksha in Cambay from Jayakesarisuri, Samvat 1520; acharyapada, Samvat 1560; death, Samvat 1583. ૧૨૭૯. ડો. જહોનેસ કલાટ “અંચલગચ્છની પટ્ટાવલી ” માં આ પ્રમાણે નેંધે છે – Bhavasagara-suri, son of Vora Sanga in Narasani-gram ( Maravada dese) and of Singarde, mulanaman Bhavada, born Samvat 1510, diksha 1520 in Khamabhata-bandara by Jayakesarisuri, acharya and gachchhesa 1560 in Mandala-grem + 1583 at the age of 73. Under him Vinayahansa composed Samvat 1572 a Vritti on Dasa yaikalika, See Mitra, Not. VIII pp. 168–9. ૧૨૮૦. ઉપર્યુકત પ્રમાણમાં ઘણી વિસંવાદિતા નજરે પડે છે. ભાવસાગરસૂરિનાં જન્મસ્થળ તરીકે તેમાંથી ભિન્નમાલ, તરસાણી, નરસાણ, તુરમિણિ ઈત્યાદિ સ્થળોનાં નામ મળે છે. એવી જ રીતે ભાવસાગરસૂરિના જન્મનું વર્ષ પણ સં. ૧૫૧૦ અને સં. ૧૫૬ એમ બે રીતે મળે છે, ભાવસાગર સ્તુતિની માહિતી ખૂબ જ પ્રમાણભૂત હોઈને એના આધારે આ વિષમતાઓ અંગે આપણે નિર્ણય કરી શકીએ એમ છીએ. આ દષ્ટિએ વિચારતાં જણાય છે કે ભાવસાગરસૂરિ ભિન્નમાલ નગરમાં શ્રીમાલી વંશીય શ્રેષ્ઠી સાંગરાજ અને તેની પત્ની શૃંગારદેવીને ત્યાં સં. ૧૫૧૬ ના માઘ માસમાં જન્મ્યા હતા, એમનું મૂળ નામ ભાવડ હતું. પ્રવજ્યા અને પછીનું શ્રમણ-જીવન ૧૨૮૧. ભાવડકુમારે સં. ૧૫રમાં ખંભાતમાં કેસરીરિ પાસે દીક્ષા અંગીકાર કરી અને એમનું નામ ભાવસાગર રાખવામાં આવ્યું. દીક્ષા પછી ભાવસાગર મુનિએ શાસ્ત્રાભ્યાસ શરુ કર્યો અને અવિશ્રાંત અનુશિલન બાદ થોડા દિવસોમાં તેઓ આગમોરૂપી સમુદ્રમાં નાવ સમાન થયા–અર્થાત આગમોના પારગામી થયા. ભાવસાગર સ્તુતિમાં વર્ણન છે– વિસઈમે જ કેસરિ સુરિ કરે સંજમો ગહીઓ. થવ દિવસે હિં પત્તે પોરસે આગમો હ ઈણ, ૧૨૮૨. આ વિધાનને ધર્મમૂર્તિસૂરિના નામે પ્રસિદ્ધ થયેલી પદાવલી સિવાય બધાયે પ્રાચીન શ્રેનો ટેકો મળી રહે છે. ઉક્ત પ્રશસ્તિમાં દીક્ષા સ્થળને નિર્દેશ નથી પરંતુ મુનિ લાખા કૃત ગુ— પટ્ટાવલીમાં સંવત સાથે સ્થળનો પણ સ્પષ્ટ નિર્દેશ મળી રહે છે જે સાંપ્રત પદાવલીકારોને અભિપ્રેત છે. ધર્મમનિસરિનાં નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં દીક્ષાનું વર્ષ સં. ૧૫૨૪ છે. પ્રમાણાની દૃષ્ટિએ વિચારતાં ભાવસાગરજીનું દીક્ષાનું વર્ષ સં. ૧૧ર૦ સ્વીકાર્ય કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy