SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ અંચલગચ્છ દિગ્દર્શન ભાવસાગરસૂરિ મહેન્દ્રસિંહસૂરિના અગાધ જ્ઞાન અને એમની તર્કબુદ્ધિને બિરદાવતા એમને “વાદીરૂપી હાથીમાં સિંહ સમાન ” તાર્કિક કહે છે: સુરિ પએ સંકવિઓ મહિ દસિંહાય સુરી રાયમણું, વાદિય ગય ધડ સિહ ન ચુકએ તકક વાવી. ૩૨ પ૨૯. ડુંગરિ લઘુશતપદિકાની ગ્રંથપ્રશસ્તિમાં નેવે છે કે મહેન્દ્રસિંહમુરિ સર્વ સિદ્ધાંત મુખપાઠે જ ભણાવતા હોવાથી તેમને “આગમકલામુખ” બિરુદ પ્રાપ્ત થયેલું તે પ રાવત બતામ ટીમુહ મુarદેવિ સિદ્ધાંતળાપ મહેંદ્રપૂSજ્ઞાર્થતા મહેન્દ્રસિંહસૂરિને પ્રાપ્ત થયેલું આ બિરદ એમનાં પ્રખર અભ્યાસીપણુને તેમજ વિદ્યાવ્યાસંગને અંજલિરૂપ છે. એમની જ્ઞાનપિપાસાનું પણ એ ઘોતક છે. ૫૩૦. ભાવસાગરસૂરિ “ ગુર્વાવલી માં એક પ્રસંગ નોધે છેઃ મહેન્દ્રસિંહ સુરિ વિહરતા કણવઈકર્ણાવતી નગરીમાં ઉત્સવસહિત પધાર્યા. ત્યાં મંત્રી વસ્તુપાલ ચોર્યાસી સુભટો સહિત ગુને વાંદવા આવ્યા. ગુસ્ની ધર્મદેશના સાંભળીને જ એમના બધા સંશય દૂર થઈ ગયાં !! આથી ગુરુના પ્રભાવથી ચમત્કૃત થઈ તેમને નમી સૌ વિદાય થયા: વિહરતો કણણવઈ નયરશ્મિ સમુચ્છવો એઓ ૪૮ સિરિ વસ્તુપાલ મંતી ચલુસી ભદ્દે હિં સંજુઓ, વંદણ રમેણ આવઈ નિસુણઈ સુગુરણ ઉવએસ. ૪૯ સસિં ભટ્ટાણું વયણે નિસુણીય સંસયા ભગા, ગુરુ ભક્તિ રસ લીણા ચમકિયા નમિય તેવિ ગયા. ૫૦ ૫૩૧. મેરૂતુંગરિ “લઘુશતપદીની પ્રશસ્તિમાં એ જ એક બીજો પ્રસંગ નોંધે છે. મહેન્દ્રસિંહસૂરિ માંદગીને લીધે તિમિરવાટકમાં રહેતા હતા. ત્યાં જાલોરનો સંધ એમને દવા આવ્યો. સંઘના પ્યાસી સંદલ પૂછ્યા વિના આચાર્યે એક જ વ્યાખ્યાનમાં દૂર કર્યા ! બે સંદેહ એકાંતમાં ભાંગ્યા ! જુઓ : यैस्तिमिरवाटक ग्लानवासस्थैर्वदनार्थमागतस्य जावालीपुरीयसंघस्य द्वाशीतिः संदेहा पृष्टा अप्येकव्याख्यानेनैव भग्ना द्वौ संदेहौ त्वेकांते भग्नाविति ॥ ૫૩૨. વાચક લાવણ્યચંદ્રની પટ્ટાવલીમાં પણ એ હકીકતને મળતા જ વૃત્તાંત છે, જુઓઃ ૨ एकस्यां व्याख्यासदसिजरठं संशयभरं । द्वयशीत्यादि द्वन्द्वन्पहरदजयत्प्रोजितमपि ॥ ३२॥ કવિચક્રવર્તિ જયશેખરસૂરિ પણ “ઉપદેશચિન્તામણિ'ની ગ્રંથપ્રશસ્તિમાં મહેન્દ્રસિંહસૂરિની જ્ઞાનસંપત્તિને બિરદાવતા કહે છે કે-જ્ઞાનાદિ સંપત્તિવાળા મહેન્દ્રસિંહસૂરિ સૂર્યની જેમ શોભતા હતા, જેમણે પ્રથમ દર્શને જ અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર વચનકિરણો દ્વારા દૂરથી આવેલા શ્રાવકોના મનકમળમાંથી ચોર્યાસી સુબદ્ધ સંશો આશ્ચર્યકારક રીતે ભ્રમરની જેમ દૂર કર્યાઃ येनाज्ञानतमोघ्नवाक्यकिरणदूरागत श्रावक स्वांतांभोरुहतश्चतुभिराधिकाशीतिः सुबुद्धा अपि । रोलंबा इव दूरिताः प्रथमकालोकेऽप्यहो संशयाः । श्रीमानेष महेन्द्रसिंहसुगुरुभैजे ततो भानुवत् ॥४॥ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy