SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદવિમળસૂરિ જીવનચરિત્ર હે આનંદવિમળસરિ ! આજે મારું શરીર સ્વસ્થ નથી, અને હવે તે શરીરનું કામ પણ શું છે? તારા - જે મહા પ્રભાવશાળી હીરે જૈન ગુરૂનો સ્વર્ગવાસ શાસનની સેવા માટે છે પછી મારે શાની ચિંતા ! હવે શરીર જીર્ણ થયું છે. માટે અમે પરમાત્માનું ધ્યાન ધરીશું અને આત્મરમણ કરીશું, સાધુસમુદાયને સંભાળજે, સંઘની દિનપ્રતિદિન વૃદ્ધિ કરજે, મહા મંગલકારી કાર્ય કરજો, તપશ્ચર્યાનો તમારે ભાવ ચાલુ રાખજે, અને ઠામ ઠામ ધર્મકાર્ય કરી તીર્થધામને ઉદ્ધાર કરી ગચ્છનીને શાસનની શોભામાં અભિવૃદ્ધિ કરેજે, મને તમારી ભક્તિ અને શક્તિમાં ભારે શ્રદ્ધા છે, તમે જૈનશાસનના શિરોમણિ છે, શાસન હિતના કાર્ય કરી જીવન સાફલ્ય કરજો, આ વચન સાંભળી સાધુવંદ ગદ્ ગદુ થઈ ગયે, શ્રી આનંદવિમળસૂરીશ્વરજી બોલ્યા, ગુરૂદેવ! આપના વચનો મને પ્રમાણ છે, હું તે પામર પ્રાણું છું પણ તીર્થંકરદેવ અને આપના નામ સમરણ રૂપ મંત્રથી હું આપના પવિત્ર પગલે ચાલીશ. જિનશાસનની સેવા કરવા મારાથી બધું કરી છૂટીશ, સમુદાયની વૃદ્ધિ કરીશ, અને ઉગ્ર તપશ્ચર્યા કરીને મારા જીવનનું સાર્થક કરીશ, સંઘ અને શાસનના ઉદ્યોત માટે તીર્થસ્થાનના ઉદ્ધાર માટે હું યથાશક્તિ પ્રયત્ન કરીશ, આ બધું આપના પ્રભાવ અને કૃપાથી મારામાં તે કરવાની શક્તિ આવે તેમ શાસનદેવને પ્રાર્થના છે. જીવન અને મરણની -ઘટમાળથી વ્યાપ્ત સંસારમાં જીવન મરણને સ્વાભાવિક માન્યા છતાં સાધુ સાધ્વી અને શ્રાવક શ્રાવિકા સમુદાયની ચક્ષુઓમાંથી અશ્રુધારાઓ નીકળવા લાગી, આખો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034737
Book TitleAnandvimalsuri Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorKanakvimal
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1939
Total Pages62
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy