SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ વીરબાળાએ કરેલો આપઘાત. ૩૧૧ ચાર કરી તેને ફસાવે છે. આવા અનેક દાખલા ભેળી સ્ત્રીઓને ખરાબ કરનાર દાંભિક અને કપટી વ્યભિચારી પુરૂષોના જોવામાં આવે છે. આજ કારણથી આ સ્થળે શૃંગારરસને છેડી બિચારી વીરબાળા જેવી ભેળી સગુણ સ્ત્રીઓ પ્રપંચી પુરૂષોની વિષયવાસનાના ભેગ કેવી કેવી ભેદ ભરેલી યુક્તિઓથી થાય છે તેને આબેહુબ ચિતાર આપવા મેં પ્રયત્ન કર્યો છે તેથી આ પ્રકરણ ભલે પુરૂષો જાહેરમાં સ્ત્રીઓ આગળ ન વાંચે પરંતુ સ્ત્રીઓએ તે ખાસ વાંચવાની જરૂર છે, જેથી તેઓ એવા દાક્લિક પુરૂષોના મલીન હદયની યુકિતઓ વાંચીને સમજી શકે, “બેન બેન” બેલનાર પુરૂષ બેન ઉપર ખરે ભ્રાતૃભાવ રાખે છે કે વ્યભિચારી ભાવ રાખે છે તે જાણું શકે અને તેવા બગઠગોની વાજાળમાં અને ખોટા દંભના ફંદામાં નહીં ફસાતાં તેમનાથી સાવધ રહી શકે. ] પ્રકરણ ૩૨ મું. બાબુ પ્રાણલાલના પંજામાંથી છટકી વીરબાળાએ કરેલો આપઘાત તેની મરતી વખતની જુબાની. (હરિગીત). ભેળી બિચારી ભામિનીની કેવી સ્થિતિ થાય છે ? ભેદી પ્રપંચે આદરીને કેવી ભરમાવાય છે? ભરથાર જ્યાં વ્યભિચારના રસ્તા તરફ દોરાય છે, ત્યાં ભામિનીના ભાગ સમજે પ્રાણુ અંતે જાય છે. –લેખક. બીજા દિવસે બરાબર રાત્રે આઠ વાગે પ્રાણલાલ બાબુ રજવાડી પિશાકમાં જયંતીલાલના મુકામે આવ્યો. જયંતીલાલે આ ઠાઠમાં જોઈ આવકાર આપતાં હસતા મુખે કહ્યું “આજે તે તમને બાબુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy