SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આ આંસુ ર કરી અને જે પ્રેમાળ પરે પકારી દમ્પતી. ~~~ ~ ~ ~~ ~~~~~ ~ ~~ ~~~~~ કરી આંસુથી ભીંજાતા ગાલને સાફ કરવા લાગ્યો. માલતી જરા વિવેકની ખાતર રસિકલાલને તસ્દી નહીં આપતાં તે કામ પોતે ઉપાડી લઈ આંખે સાફ કરી ધીમા સાદે બેલી “આવા કુમળા ખુબસુરત છોકરાને ઉપાડી જતાં સાધુને દયા નહીં આવતી હોય ? માને આ છોકરે શી રીતે વિસારે પડે ? આપણે ચાર વરસને કીકે જે કે લાંબી માંદગી ભોગવીને મરણને શરણ થયું હતું છતાં જ્યારે જ્યારે સાંભરી આવે છે ત્યારે ત્યારે મારું હદય ભરાઈ આવે છે ! તે આવા ઉછરેલા સુંદર છોકરાને એકદમ સાધુ ઉપાડી જાય તે તેની માને કેમ પાલવે ? ઉપાડી જનાર ખરેખર કસાઈ કરતાં પણ વધારે નિર્દય હોવા જોઈએ. બિચારી સરિતાની દયા ખાતા હતા એટલામાં આ છાપામાં છેકરાની માની દયા ખાવાને પ્રસંગ ઉભો થ, દૈવની ગતિ ગહન છે ! શું તમારાથી ચંપકલાલને શોધવાનું કામ ન બની શકે ? સરકારમાં તમારી લાગવગ સારી છે તેને ઉપયોગ ન થાય ? ખરચ થાય તે કરવું પણ આ છેકરાને તે જરૂર શોધી આપ જોઈએ. મને તે આ ફેટ જોઈ અને હકીકત સાંભળી ઘણી જ અસર થઈ છે.” ખરેખર દયા આવે તેજ બનાવ બન્યો છે. વકીલ નવનીતરાયને ધન્યવાદ ઘટે છે. હું તેમને મળી તેમની મારફત બધી તજવીજ કરીશ. મુનિમહારાજેને મદદ કરનાર બે ચાર શ્રીમંતે છે તે આટલું બધું તોફાન મચાવે છે. હવે તે સાધુ કહે સાધુ નથી અને આચાર્ય કહે આચાર્ય નથી. સાધુસમુદાયમાં કેટલાક સાધુઓ ચેલા મુંડવાની તીવ્ર લાલસાવાળા છે તે આટલી બધી ધમાલ કરે છે, અને ગરીબોના છોકરા ઉપાડી વંશનું નિકંદન કાઢે છે, હવે તેમની ખબર લીધા વિના છુટકે નથી. તેમની સામે બેઠે બળ જગાડવોજ પડશે. પણ માલતી ! પેલી સરિતાની કેવી દયાજનક સ્થિતિ થઈને પડી ! ચંદ્રકુમાર ઘણોજ દયાળુ અને પરોપકાર વૃત્તિવાળો છે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy