________________
૨૨૦
પ્રકરણ ૨૫ મું.
*“ How different is the view of past life, in the man who is grown old in knowledge and wisdom, from that of him who is grown old in ignorance and folly ! The latter is like the owner of a barren country that fills his eye with the prospect of naked hills and plains, which produce nothing either profitable or ornamental; the other beholds a beautiful spacious landscape divided into deli. ghtful gardens, green meadows, fruitful fields, and can scarce cast his eye on a single spot of his possession that is not covered with some beautiful plant and flower."
વિદ્યા આ પ્રમાણે જીવનનો ફેરફાર કરી શકે છે. અનુભવી લોકે કહે છે કે “સમયની સાથે ચાલો” આ વાત બીલકુલ સત્ય છે. પ્રાચીન કાળમાં ઘોડા અને બળદના ખટારામાં બેશી મુસાફરી કરતા હતા તે વાત હવે રેલવે અને એરપ્લેનના વખતમાં શી રીતે બંધ બેસતી થઈ પડે? તમારા ધર્મગુરૂ કહે છે કે જમાના ઉપર નજર રાખી આવી સંસ્થાઓને ઉત્તેજન આપે એ વાત તમારે લક્ષ બહાર કાઢવાની નથી. તમારી કામમાં આવા ઉપદેશ આપનાર ધર્મગુરૂઓની જરૂર છે. (તાળીઓ)
* વિદ્યાજ્ઞાન અને ડહાપણમાં જીવનને વખત ગુજારી પાકી ઉમરે પહચેલા માણસના ગત જીવનનું સ્વરૂપ, અજ્ઞાન અને જાડય બુદ્ધિમાં જીવનને વખત ગુમાવી પાકી ઉમરે પહોંચેલા માણસના ગત જીવનના સ્વરૂપ સાથે સરખાવતાં અતિશય ભિન્ન હોય છે; બીજે માણસ અર્થાત અજ્ઞાનમાં અંદગી ગુમાવનાર એક વેરાન પ્રદેશના માલીક સમાન છે, કે જે પ્રદેશ, નથી રમણીય કે ફાયદાકારક એવા શુષ્ક ટેકરા અને મેદાનને દેખાવ દૃષ્ટિ આગળ ધરે છે; પ્રથમ માણસ અર્થાત્ જ્ઞાનમાં જીવનને ગુજારનાર, સુંદર અને વિસ્તીર્ણ ભૂ પ્રદેશનું અવલોકન કરે છે કે જે પ્રદશેની, આનંદજન્ય ઉદ્યાન, લીલાં મેદાન અને ફળદાયક ક્ષેત્રમાં નાના પ્રકારે રચના થયેલી હોય છે અને જે સુંદર વનસ્પતી અને પુષ્પથી અલંકૃત અને આચ્છાદન નહીં હોય એવું સ્વસ્થાન
તેને ભાગ્યે જ દષ્ટિગોચર થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com